SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ પંચર્મગ્રન્યપરિશીલન દર્શનાન્તર સાથે જૈન દર્શનનું સાશ્વ જે દર્શનો આસ્તિક છે અર્થાત્ આત્મા, તેનો પુનર્જન્મ, તેની વિકાસશીલતા તથા મોક્ષયોગ્યતાને માનનારાં છે તે બધાં દર્શનોમાં કોઈ ને કોઈ રૂપમાં આત્માના કમિક વિકાસનો વિચાર મળવો સ્વાભાવિક છે. તેથી આર્યાવર્તનાં જેન, વૈદિક અને બૌદ્ધ આ ત્રણ પ્રાચીન દર્શનોમાં ઉક્ત પ્રકારનો વિચાર મળે છે. આ વિચાર જૈન દર્શનમાં ગુણસ્થાનના નામે, વૈદિક દર્શનમાં ભૂમિકાઓના નામે અને બૌદ્ધ દર્શનમાં અવસ્થાઓના નામે પ્રસિદ્ધ છે. ગુણસ્થાનનો વિચાર જેવો જૈન દર્શનમાં સૂક્ષ્મ તથા વિસ્તૃત છે તેવો અન્ય દર્શનોમાં નથી, તેમ છતાં ઉક્ત ત્રણે દર્શનોની તે વિચારની બાબતમાં ઘણી સમાનતા છે. અર્થાત્ સત, વર્ણનશેલી આદિની ભિન્નતા હોવા છતાં પણ વસ્તુતત્ત્વની બાબતમાં ત્રણે દર્શનોનો ભેદ નહિવત્ છે. વૈદિક દર્શનના યોગવાસિષ્ઠ, પાતંજલ યોગ આદિ ગ્રન્થોમાં આત્માની ભૂમિકાઓનો સારો વિચાર છે. A (1) જૈન શાસ્ત્રમાં મિથ્યાદષ્ટિ કે બહિરાત્માના નામથી અજ્ઞાની જીવનું લક્ષણ દર્શાવ્યું છે કે જે અનાત્મામાં અર્થાત્ આત્મભિન્ન જડ તત્ત્વમાં આત્મબુદ્ધિ કરે છે તે મિથ્યાદષ્ટિ યા બહિરાત્મા છે. યોગવાસિષ્ઠમાં17 તથા પાતંજલ યોગસૂત્રમાં અજ્ઞાની જીવનું તે જ લક્ષણ છે. જૈન શાસ્ત્રમાં મિથ્યાત્વમોહનું સંસારબુદ્ધિ અને દુઃખરૂપ ફળ વર્ણવાયું છે.19 તે જ વાત યોગવાસિષ્ઠના નિર્વાણપ્રકરણમાં અજ્ઞાનના ફળરૂપથી કહી 16. તત્ર મિથ્થાનોયવીતો મિથ્યાવૃષ્ટિ | - તત્વાર્થરાજવાર્તિક 9.1.12. . आत्मधिया समुपात्तकायादिः कीर्त्यतेऽत्र बहिरात्मा । વયા સધિષ્ઠાયો મત્યતાત્મા તું 2 - યોગશાસ્ત્ર, પ્રકાશ 12. निर्मलस्फटिकस्येव सहज रूपमात्मनः । .... અધ્યક્તો પસંદ્ધો નડતત્ર વિમુનિ 6 - જ્ઞાનસાર, મોહાટક नित्यशुच्यात्मताख्यातिरनित्याशुच्यनात्मसु । " વિદ્યા તત્ત્વપીર્વિદ્યા યોના પ્રવર્તતા ii - જ્ઞાનસાર, વિઘાટક. भ्रमवाटी बहिर्दृष्टिभ्रंमच्छाया तदीक्षणम् । . પ્રાન્ત તત્ત્વછિતું ક્યાં તે સુવા 12 - જ્ઞાનાસાર, તત્ત્વદષ્ટિ અટક. 17. યાજ્ઞાનાત્મનો ડૂચ ફેદ વાત્મMવના િિત વાપરોમિંગવતિ તY I3 - નિર્વાણપ્રકરણ, પૂર્વાર્ધ, સર્ગ 6. 18. अनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविद्या । - પાતંજલ યોગસૂત્ર, સાધનપાદ, સૂત્ર 5. 19. સમુયાયવોર્વ-ઘદેતુત્વ વાવયસિમલૈંવિતિ - તત્ત્વાર્થરાજવાર્તિક, 9.1.31. विकल्पचषकैरात्मा पीतमोहासवो ह्ययम् । પોતાનમુત્તાનyપગતિરિ પs - જ્ઞાનસાર, મોહાષ્ટક - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001176
Book TitlePanchkarmagranthparishilan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, Principle, & Karm Theory
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy