SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પંચકર્મગ્રન્થપરિશીલન [1] ઇતિહાસ દર્શાવે છે કે તે વખતે ભારતવર્ષમાં જૈન ઉપરાંત વૈદિક અને બૌદ્ધ બે જ ધર્મ મુખ્ય હતા, પરંતુ બન્નેના સિદ્ધાન્ત મુખ્ય મુખ્ય વિષયોમાં તદ્દન ભિન્ન હતા. મૂળ વેદોમાં, ઉપનિષદોમાં, સ્મૃતિઓમાં અને વેદાનુયાયી કેટલાંક દર્શનોમાં ઈશ્વરવિષયક એવી કલ્પના હતી કે જેનાથી સર્વસાધારણ જનોને વિશ્વાસ થઈ ગયો હતો કે જગતનો સર્જક ઈશ્વર જ છે, તે જ સારાં કે બૂરાં કર્મોનાં ફળ જીવો પાસે ભોગવાવે છે, કર્મ જડ હોવાથી ઈશ્વરની પ્રેરણા વિના પોતાનું ફળ જીવ પાસે ભોગવાવી શકતું નથી, ગમે તેટલી ઉચ્ચ કોટિનો જીવ કેમ ન હોય પરંતુ તે પોતાનો વિકાસ કરીને ઈશ્વર બની શકતો નથી, છેવટે જીવ જીવ જ છે, તે ઈશ્વર નથી અને ઈશ્વરના અનુગ્રહ વિના સંસારથી મુક્ત પણ થઈ શકતો નથી, ઇત્યાદિ. F આ જાતના વિશ્વાસમાં ભગવાન મહાવીરને ત્રણ ભૂલો જણાઈ - (ક) કૃતકૃત્ય ઈશ્વરે પ્રયોજન વિના સૃષ્ટિમાં હસ્તક્ષેપ કરવો. (ખ) આત્મસ્વાતન્ત્યનું દબાઈ જવું. (ગ) કર્મની શક્તિનું અજ્ઞાન. આ ભૂલોને દૂર કરવા માટે અને યથાર્થ વસ્તુસ્થિતિને દર્શાવવા માટે ભગવાન મહાવીરે ઘણી શાન્તિ અને ગંભીરતાપૂર્વક કર્મવાદનો ઉપદેશ આપ્યો. [2] જો કે તે સમયે બૌદ્ધ ધર્મ પણ પ્રચલિત હતો, પરંતુ તે ધર્મમાં પણ ઈશ્વરર્તૃત્વનો નિષેધ હતો. બુદ્ધનો ઉદ્દેશ્ય હિંસાને અટકાવીને સમભાવ ફેલાવવાનો હતો. તેમની તત્ત્વપ્રતિપાદનની સરણી પણ તે ઉદ્દેશ્યને અનુરૂપ જ હતી. બુદ્ધ ભગવાન પોતે કર્મને અને તેના વિપાકને માનતા હતા. પરંતુ તેમના સિદ્ધાન્તમાં ક્ષણિવાદને સ્થાન હતું. તેથી 2. સૂર્યાવન્દ્રમસૌ થાતા યથા પૂર્વમપયત્ । વિવં ચ પૃથિવી વાન્તરિક્ષમથો સ્વઃ...... II વેલ, 10.19.3. 3. યતો વા માનિ મૂતાનિ ગાયત્તે, યેન નાતાનિ નીવન્તિ, યપ્રયન્ત્યમિમાંવિન્તિ તટ્વિનિજ્ઞાપ્તસ્ત્ર, તત્ બ્રોતિ । તૈત્તિરીય, 3.1. 4. आसीदिदं तमोभूतमप्रज्ञातमलक्षणम् । 5. અપ્રતવર્ષમવિજ્ઞેયં પ્રભુક્રમિત્ર સર્વતઃ 11.50 ततस्स्वयंभूर्भगवानव्यक्तो व्यञ्जयन्निदम् । महाभूतादिवृत्तौजाः प्रादुरासीत् तमोनुदः ।।1.61 सोऽमिध्याय शरीरात् स्वात् सिसृक्षुर्विविधाः प्रजाः । અપ ત્ર સસર્ગી તાલુ ીનમવાતૃનત્ 111.8|| तदण्डमभवद्धैमं सहस्रांशुसमप्रभम् । તસ્મિન્નને સ્વયં બ્રહ્મા સર્વતો પિતામહઃ ||1.9|| મનુસ્મૃતિ कम्मना वत्तती लोको कम्मना वत्तती पजा । મ્મનિબંધના સત્તા રથસ્સાળીવ યાયતો ।। સુત્તનિપાત, વાસેઠસુત્ત, 61. 6. યં શમ્મ સ્લિામિ ત્યાનું વા પાપ વા તમ્સ વૈયાવા વિસ્લામિ ! અંગુત્તરનિકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001176
Book TitlePanchkarmagranthparishilan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, Principle, & Karm Theory
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy