SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ તો પછી તેમાં વાંધોવચકો ન પાડવો. કોઈ વસ્તુનો હિસાબ નથી માંગવો. વેડફાટ થાય છે આવો આક્ષેપ ન કરવો. વેડફાટ લાગે તો વહીવટ ન સોંપવો. આપણે તો એ કહેવું છે કે બીજાને વહીવટ સોંપ્યા પછી પણ આપણા તરફથી પારણાં હોય તો આપણે કામ કરવા માટે ખડેપગે તૈયાર રહેવું છે. કાર્યકર્તા પણ આપણા સાધર્મિક છે ને? એ કામ કર્યા કરે અને આપણે તૈયાર માલે પીરસતી વખતે હાજર થઈને માન મેળવી લઈએ એ વ્યાજબી છે? ધર્મસ્થાનો સંક્લેશ ટાળવા અને ગુણો કેળવવા માટે છે. * આજે આપણે એક નિયમ લેવો છે કે જમતી વખતે ભાણામાં જેટલી વસ્તુ પીરસી હોય તેમાંથી બે વસ્તુ કાઢીએ તો સારી વાત છે, પણ કદાચ એ ન કરી શકીએ તોપણ નવી એકે વસ્તુ નથી માગવી. શાક ન હોય તો અથાણાં નથી માંગવાં. તપના પારણામાં પણ આ નિયમ પાળવો છે : બનશે ને ? ૧૨. ચોરી: * બારમો દોષ ચોરી છે. બીજાના ધનનું (નવે પ્રકારના પરિગ્રહનું) અપહરણ કરવું તે ચોરી. યાત્રા કરવા માટે કોઈના સંઘમાં જઈએ ત્યારે બીજા કોઈ પણ કાર્ય કરવામાં ચોરીનું પાપ લાગે. ખરીદી કરવા કે સગા-સંબંધીને મળવા પણ ન જવાય. * પ્રતિક્રમણ કરવા માટે સામાયિક લીધું હોય ત્યારે વિધિ મુજબ દોષરહિતપણે પ્રતિક્રમણ કરવા છતાં જલદી થઈ જાય તેથી સામાયિકમાં સમય બચે ને સ્વાધ્યાય કરીએ તો વાંધો નહિ, પણ સ્વાધ્યાયના લોભે ઝપાટાબંધ પ્રતિક્રમણ કર્યું હોય તો દોષ લાગ્યા વગર ન રહે. * મફતનું ખાવાની વૃત્તિ ચોરીના ઘરની છે. આપણા પુણ્યમાં ન હોવા છતાં તેને મેળવવાની ઉત્કટ ઈચ્છા, સુખ ભોગવવાની તાલાવેલી ચોરીને માર્ગે લઈ જાય છે. પરિશ્રમ કરવો ન પડે અને સુખનાં સાધનો પૂરતાં પ્રમાણમાં મળે એવો ભાવ ચોરીનું બીજ છે. જ્યારે જ્યારે વીર્ય ફોરવવાની વાત આવે ત્યારે છતી શક્તિએ નથી થતું કહીને છટકી જઈએ તે પણ એક પ્રકારની ચોરી છે. માત્ર બીજાનું ધન જ નહિ, બીજાની શક્તિ, સમય વગેરેનો ઉપહાર કરવો એ પણ એક પ્રકારની ચોરી જ છે. આપણું બચાવીને બીજાનું વાપરવાની વૃત્તિ તે ચોરી. આપણું પૂરતું વાપરી લીધા પછી જરૂર પડયે બીજાનું વાપરીએ તો ચોરીનું પાપ ન લાગે. પ્રતિક્રમણ ભણાવી શકાય એવું હોવા છતાં બીજા ભણાવતા હોય તો આદેશ ન માગવાની વૃત્તિ એ પણ શક્તિની ચોરી છે. આદેશ ન મળે એ જુદી વાત. પણ આપણી શક્તિ ખર્ચાઈ ન જાય એની કાળજી, ચોરી શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy