SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ છે : આ ભગવાનના વચનનો સાર છે ને ? સુખ ભોગવવાથી આશ્રવ થાય ને ? દુઃખ ભોગવવાથી સંવર થાય ને ? સ. સમજાયા પછી પણ વચન આચરવાનું કઠિન છે. એનું કારણ એ છે કે રુચિ જાગવી કઠિન છે. પીરસનાર તો પકવાન્ન પીરસે પણ રુચિ જ ન હોય તો થાળ પડી રહે ને ? રુચિ વિના સારામાં સારી વસ્તુ પણ કામ ન લાગે. સ. રુચિ લાવવા માટે શું કરવું ? જુલાબ લઈને પેટ સાફ કરવું. એ માટે દીવેલ લેવું પડશે. પીરસનાર ભોજન પીરસે, દીવેલ ન પીરસે. દીવેલ તો આપણે જાતે લેવું પડશે. તેમ રુચિ આપણે જાતે પેદા કરવી પડશે. * ચાર મહિનાના ઉપવાસ કરનાર તપસ્વીઓએ પણ એવો ક્રોધ કર્યો કે જે સામાન્ય માણસ પણ ન કરે. આવું જાણ્યા પછી આપણે એ જ વિચારવાનું કે કર્મની પરિણતિ એટલી વિચિત્ર છે કે ક્યારે કયો જીવ કેવું કાર્ય કરી બેસે એ કહી શકાય એવું નથી. માટે કર્મબંધ માટે એક પણ નિમિત્ત નથી આપવું અને કર્મનિર્જરાનાં નિમિત્તો જેટલાં મળે એટલાં સેવી લેવાં છે. * દુષ્ટ ચાલે, દોષવાળા ચાલે પણ દોષની રુચિવાળા ન ચાલે. * આચાર્યભગવન્દે એકવાર કહ્યું હતું કે જ્યારે જ્યારે વિસ્રોતસિકા થાય ત્યારે ઉચ્ચારપૂર્વક શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની માત્ર દસ પણ ગાથા ગોખવામાં આવે તો તે પરિણતિ શાંત થયા વગર ન રહે. વિસ્રોતસિકા એટલે જે દિશામાં જવાનું હોય તેનાથી ઊંધી દિશાનો ઢાળ. વિરતિની દિશામાં નીકળેલાનો ઢાળ અવિરતિ તરફ વળે તેનું નામ વિસ્રોતસિકા. * ભગવાનના ઔદયિકભાવના ગુણો તો દેવતા કે લબ્ધિધારી મનુષ્ય પણ વિકુર્તી શકે પરંતુ આ ક્ષાયિકભાવના ગુણો તો કઠોર સાધના વિના પામી શકાતા નથી માટે આપણે એ ગુણોને સમજવાની શરૂઆત કરી છે. શાસ્ત્રમાં જે અતિશયોનું વર્ણન કર્યું છે તે પણ આ ક્ષાયિકભાવથી સહચરિત હોવાથી જ કર્યું છે. આથી આપણે અઢાર દોષોનું સ્વરૂપ સમજી લેવું છે. ભગવાને આ અઢારે દોષો દૂર કર્યા. આપણામાં આ અઢારે દોષ છે – એની કબૂલાત આપણે કરી જ લીધી છે. હવે એ દોષો ગમે છે કે એ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only ૪૩ www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy