SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ * ધર્મની સામગ્રી પણ પુણ્યથી મળે છે અને સુખની સામગ્રી પણ પુણ્યથી મળે છે : આપણને કયું પુણ્ય ગમે ? પાપ દૂર કરવાની સામગ્રી પણ પુણ્યથી મળે છે અને દુઃખ દૂર કરવાની સામગ્રી પણ પુણ્યથી મળે છે, કયું પુણ્ય જોઈએ છે? સુરસુંદરી અને મયણાસુંદરી બન્નેના જવાબ તત્ત્વથી સાચા હોવા છતાં સુરસુંદરી મિથ્યાત્વી કહેવાઈ તેનું કારણ જ આ છે. સુરસુંદરીએ સંસારના સુખની સામગ્રી આપનાર પુણ્યને પુણ્ય તરીકે ગણ્યું આથી તે મિથ્યાત્વી ગણાઈ અને મયણાસુંદરીએ ધર્મની સામગ્રી આપનાર પુણ્યને પુણ્ય તરીકે માન્યું હોવાથી તે સમકિતી તરીકે લેખાઈ : આ ભેદ હવે સમજાય છે ને? સંસારનું સુખ મેળવવા જેવું છે જ નહિ : આવું જે માને તે સુખ આપનાર પુણ્યને પુણ્યરૂપે ગણે જ નહિ. * આપણને ભગવાન પર વિશ્વાસ કે આપણા અનુભવ ઉપર? ભગવાન કહે છે, ગુરુભગવા કહે છે, શાસ્ત્ર કહે છે માટે માની લેવું છે કે અનુભવ થાય એની રાહ જેવી છે? કોઈ કહે કે – “વાઘ આવ્યો’ તો ભાગવા માંડો કે “મને દેખાય, ખાતરી થાય તો માનું' એમ કહીને ઊભા રહો ? અને અહીં ભગવાન કહે છે કે સંસાર અસાર છે, સંસારનું સુખ દુઃખરૂપ છે તો તે માનવું નથી અને ઉપરથી કહે કે દુઃખરૂપ લાગે તો માનું આ ચાલે ? સ. અમારી આવી પરિસ્થિતિ કેમ છે? મોક્ષમાં જવું નથી, સંસારમાં જ રહેવું છે. સંસારમાં રહીને જે થાય એવું હોય તે કરવું છે. ધર્મ પણ સંસારમાં રહીને થતો હોય તો કરવો છે, સંસાર છોડવો નથી. આથી આ દશા છે. સ. સંસાર છોડવાનો પરિણામ ક્યારે આવશે? પરિણામની રાહ જોઈને બેસી રહેવાથી પરિણામ નહિ આવે. એના કરતાં અમારું કહ્યું – ભગવાનનું કહ્યું – માની લો અને સંસાર છોડી દો તો વિસ્તાર થયા વિના નહિ રહે. ભાવ ભલે ન હોય પણ દાક્ષિણ્યગુણ તો છે ને? ભવદેવ મુનિએ ભાઈના વચન ખાતર દીક્ષા લીધી તો બાર વરસે પણ ઠેકાણું પડ્યું ને? તો તમે ભગવાનના કે ગુરુના વચન ખાતર દીક્ષા લો તો નિસ્તાર થયા વિના ન રહે ને ? ચારિત્ર એ સારી વસ્તુ છે ને ? તો કોઈના વચન ખાતર પાળવામાં નુકસાન શું છે? સારો ભાવ ભલે ન હોય પણ સાથે વિપરીત ભાવ પણ ન હોય તો અવિપરીતભાવે કરેલી આ શુભ ક્રિયાઓ છેવટે મોક્ષબાધકનો બાધ કર્યા વગર નહિ રહે. પંદર ટકા પણ દીક્ષા લેવાનો ભાવ હોય તો શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy