SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સ. જ્ઞાની બનવું પડે ને? હવે બરાબર સમજ્યા. આને માર્ગાનુસારી સમજ કહેવાય. પાપની પ્રવૃત્તિ જ્ઞાનના માધ્યમના કારણે નડતી નથી. બાકી એ પ્રવૃત્તિ તો અશુદ્ધ જ છે, દુષ્ટ જ છે. અગ્નિનો સ્વભાવ બાળવાનો છે. પણ વચ્ચે ચીપિયા વગેરેનું માધ્યમ લઈએ તો દઝાડે નહિ ને? એ રીતે અહીં સમજવું. - સ. પહેલું સમ્યજ્ઞાન કે સમ્યગ્દર્શન? બન્ને સાથે જ હોય. પહેલા જમણો હાથ કે ડાબો હાથ? સમ્યગદર્શનના અભાવમાં સમ્યજ્ઞાન ન હોય અને સમ્યજ્ઞાનના અભાવમાં સમ્યગ્દર્શન ન હોય. સમ્યકત્વના અભાવમાં અજ્ઞાન હોય અને સમ્યજ્ઞાનના અભાવમાં મિથ્યાત્વ હોય. સ. અતિચારમાં જ્ઞાનાચારના અતિચાર પહેલા બતાવ્યા છે. નિરૂપણ તો એકીસાથે ન થાય ને? કમસર જ કરવું પડે. માટે જ્ઞાનાચાર પહેલાં બતાવ્યા. બે પગે ચલાય પણ બંન્ને પગ સાથે ન ઉપાડાય ને? કમસર જ ઉપાડવા પડે ને? એમ અહીં સમજી લેવું. અંતે આ જ વિષયમાં શ્રી તીર્થંકરભગવન્તોના વૈરાગ્યને જણાવતાં કહે છે કે મહાપુણ્યના (તીર્થંકર નામકર્મના) વિપાકમાં (રસોઇયમાં) ગર્ભાવસ્થામાં રહેલા પરમાત્માઓનો વૈરાગ્ય અખંડિત હોય છે. ગર્ભમાં પણ ભગવાનને દીક્ષાના ભાવ હતા. ભગવાન જનમતાં પહેલાં પણ વિરાગી હતા, આપણને મરણપથારીમાં પણ દીક્ષા યાદ ન આવે ને? ભગવાનને વૈરાગ્ય અને પુણ્ય બંને સાથે હોય. માતાની કુક્ષિમાં આવીને માત્ર એક સમય થયો હોય ત્યારે શરીર બંધાયું ન હોવા છતાં ઈન્દ્રાદિ દેવતાઓ દોડધામ શરૂ કરી દે છે. ઈન્દ્રો ભગવાનનું પુણ્ય જોઈને નમે છે કે વૈરાગ્યને જોઈને? ( ૭૦ ) ૭૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001166
Book TitleVairagyasambhav Adhikar
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages80
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy