SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સ. વિષય જોઈને મન લલચાઈ જાય. ભજિયાં જોઈને મન લલચાય તો શું થાય? ઝાડા થાય ને? સ. ત્યાં પરિણામ દેખાય છે. અને અહીં જોવું જ નથી. દેખાય તો છે પણ જોવું જ ન હોય તેને કેવી રીતે બતાવાય? જોવું હોય તો બતાવું. ત્યાગમાં જે આનંદ છે તે ભોગમાં નથી. આવું તો આપણે પણ અનુભવ્યું છે ને? તમારા ઘરના લોકોમાં પણ જોયું છે ને? ઘરવાળાં, બધાના જમ્યા પછી છેલ્લે વધ્યું ઘટ્યું વાપરવા બેસે ત્યારે આનંદ હોય કે દુઃખ થાય? જમવા કરતાં જમાડીને રાજી થાય એવા જોયા છે ને? ભગવાનના વચન સામે દષ્ટિ કરીએ તો અહીં પણ પરિણામ જોવાની દષ્ટિ ખીલે. અપથ્યનો પરિત્યાગ કર્યા વિના રોગ જાય નહિ – આ દષ્ટાન્તમાં રોગની હાજરી પહેલાં હતી તે બતાવ્યું. અને હવે આ જ વૈરાગ્યની પ્રાપ્તિ પછી એ વૈરાગ્યની અનવસ્થિત શેના કારણે થાય છે તે દષ્ટાથી સમજાવ્યું છે. ભૂતકાળમાંથી વૈરાગ્ય લઈને આવ્યા હોય છતાં પણ એ વૈરાગ્ય પ્રમાદાદિના કારણે ગુમાવી બેસે એવું ય બને ને? એ વાત જણાવતાં ફરમાવ્યું છે કે વિષયોનો ત્યાગ કરીને વૈરાગ્ય પ્રાપ્ત થયા પછી પણ જેઓ ફરી વિષયમાં આસક્ત બને તેનો વૈરાગ્ય ટકતો નથી. જેમ તપેલા લોઢા ઉપર પાણીનું બિંદુ પડે તો તે કેટલો કાળ ટકે? વસ્તુ મળે કઈ રીતે એ જણાવ્યા પછી એ વસ્તુ કે કઈ રીતે એ પણ જણાવવું પડે ને? તેવી રીતે અહીં પણ આવી ગયેલા વૈરાગ્યને ટકાવવા માટે પણ વિષયોમાં અનાસક્તિ જરૂરી છે. આવેલા ગુણોને ટકાવતાં ન આવડે તો જતા જ રહેવાના. જ્યાં સુધી દોષોને કાઢવાનો પુરુષાર્થ કરવામાં નહિ આવે ત્યાં સુધી ગુણો ટકશે નહિ. ગુણને પ્રાપ્ત કરવાની અને ગુણોને ટકાવવાની યોગ્યતા કહો કે રસ્તો કહો એક જ છે- દોષોને નાબૂદ કરવાની ભાવના. સત્તામાં રહેલાં કર્મો ઉખેડવાની ભાવના જ્યાં સુધી ના ૩૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001166
Book TitleVairagyasambhav Adhikar
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages80
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy