SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ સ્થિરાદષ્ટિની સઝાય સંભવ નથી. પરંતુ પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થનારા ભોગો પણ અહીં અનિષ્ટ લાગે છે, સારા લાગતા નથી-આ જ વાતને સ્પષ્ટ કરતાં પૂ. ઉપાધ્યાયજી મ.સા. ફરમાવે છે કે-શીતળ એવા ચંદનના કાષ્ઠથી પણ ઉત્પન્ન થયેલો અગ્નિ વનને બાળવાનું જ કામ કરે છે. આવી જ રીતે પુણ્યના ઉદયથી પણ પ્રાપ્ત થનારા પાંચ ઈન્દ્રિયોના વિષય સ્વરૂપ ભોગો પણ સંસારપરિભ્રમણનું જ કારણ બને છે. કોઈ વાર મણિ-મંત્રાદિના અચિંત્ય સામર્થ્યથી વહિ બાળવાનું કામ કરતો નથી. પરંતુ તેથી વહિના દાહક સ્વભાવની હાનિ થતી નથી. તમે કોઈ વાર સાધકની તેવા પ્રકારની વિશિષ્ટ પરિણતિને લઈને પાંચ ઈન્દ્રિયોના વિષયોના ભોગથી પણ સંસારમાં પરિભ્રમણ ન વધે તો તેથી ભોગોની ભયંકરતાની હાનિ થતી નથી. પ્રતિબંધકની ઉપસ્થિતિમાં કારણસામગ્રીથી કાર્ય થતું નથી-એનો અર્થ એ નથી કે-કારણસામગ્રી કારણ જ નથી. ભોગોની અનિષ્ટકારકતા આ દષ્ટિમાં આ રીતે સ્પષ્ટ સમજાય છે. શુદ્ધધર્મથી ખેંચાયેલા ભોગો ભયંકર નથી બનતા એમાં વસ્તુતઃ શુદ્ધધર્મ કારણ છે, પરમાર્થથી ભોગો તો ભયંકર જ છે-આવી પરમ શ્રદ્ધાના સામર્થ્યથી આ દષ્ટિમાં જીવને ખૂબ જ સ્થિરતા પ્રાપ્ત થતી હોય છે. ભૂતકાળના કર્મના ઉદયે ભોગની ઈચ્છા થવા છતાં તેને દૂર કરવા માટે ભોગની પ્રવૃત્તિ અહીં ઉપાદેય લાગતી નથી. તે સમજે છે કે એક ખભા ઉપરનો ભાર બીજા ખભા ઉપર મૂકવાથી ક્ષણવાર જેમ હળવાશ અનુભવાય છે, તેમ ભોગની પ્રવૃત્તિથી ભોગની ઈચ્છાનો અભાવ અનુભવાય છે. ખરી રીતે તો ભોગની ઈચ્છાનો અંત લાવવા ભોગની અસારતાદિનું પરિભાવન કરવું જોઈએ. ભોગની પ્રવૃત્તિથી થનાર ભોગની ઈચ્છાનો વિરામ ક્ષણિક છે, એ પણ વાસ્તવિક નથી-આ વાત આ દષ્ટિમાં સરસ રીતે સમજાય છે. આ સમજણથી સ્થિરાદષ્ટિમાં જીવને પૌલિક સુખનું આકર્ષણ રહેતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy