SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિ-એક પરિશીલન દષ્ટિમાં સમ્યગ્દર્શન પામ્યા પછી પણ અવિરતિના કારણે ભારે વિષમ સ્થિતિ બનતી હોય છે. એક બાજુ સમ્યગ્દર્શનને ટકાવવાનું અને બીજી બાજુ અવિરતિને દૂર કરવાનું કાર્ય અઘરું છે. માંડ માંડ શરૂ થયેલી સાધનામાં અવિરતિ વિક્ષેપ પાડ્યા જ કરે અને સમ્યગ્દર્શનાદિના પ્રભાવે મોક્ષમાર્ગ તરફ સાધનાને વધારવા મન સતત ઝખ્યા કરે-આ સ્થિતિમાં સાધકની અવસ્થા એવી વિચિત્ર થતી હોય છે કે, એનો જેને અનુભવ હોય તેઓ જ એનું વર્ણન કરી શકે. આ દષ્ટિમાં દર્શન રત્નપ્રભાજેવું હોવાથી જ્ઞાન ખૂબ જ નિર્મળ હોય છે. વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિના કારણે મોક્ષસાધક અને બાધકનું જ્ઞાન ભ્રમાત્મક હોતું નથી. રંગમાં રજતનું જ્ઞાન થાય તો તે જ્ઞાનને ભ્રમાત્મજ્ઞાન કહેવાય છે. આવું ભ્રમાત્મજ્ઞાન આ દષ્ટિમાં હોતું નથી. “આ સ્થાણુ (વૃક્ષનું થડ) છે કે પુરુષ આવા પ્રકારનું સંશયાત્મક જ્ઞાન પણ હોતું નથી. તેમ જ રસ્તે જતી વખતે રસ્તામાં રહેલ ઘાસ વગેરેનો સ્પર્શ થવા છતાં સ્પષ્ટ જ્ઞાન થતું નથી, પરંતુ જે અસ્પષ્ટ જ્ઞાન થાય છે તેના જેવું અનધ્યવસાયાત્મક જ્ઞાન પણ આ દષ્ટિમાં થતું નથી. આ રીતે સંસારના અને મોક્ષના સ્વરૂપાદિનું નિર્મળ જ્ઞાન થવાથી આ દષ્ટિમાં સંસારના કારણભૂત વિષયકષાયની પરિણતિને ખૂબ સ્પષ્ટપણે સમજવાનું બને છે. આથી જ યમનિયમાદિ યોગનાં આઠ અંગોમાંથી પાંચમા અંગ તરીકે પ્રત્યાહાર’ની પ્રાપ્તિ થાય છે. પ્રત્યાહારનું સ્વરૂપ ચોથી ગાથામાં જણાવાશે. વીતરાગપરમાત્મા શ્રી વીરપ્રભુએ પ્રાપ્ત કરેલા અને ભવ્ય જીવોના ઉપકાર માટે સારી રીતે પ્રરૂપેલા આ પાંચમી દષ્ટિના પ્રત્યાહારાદિ ગુણને કોઈ પણ રીતે વિસરવો ન જોઈએ. દિવસ અને રાત યાદ રાખવો જોઈએ. આ ગુણના પ્રભાવે પાંચમી દષ્ટિમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy