SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ દીપ્રાદષ્ટિની સઝાય મેરુ-સર્ષપ જેટલું અંતર છે. આગળની સ્થિરા વગેરે દષ્ટિમાં કોઈવાર . તત્ત્વના વિષયમાં કલહાદિ દેખાય તો તે દષ્ટિમાં એ દોષનો સંભવ જ નથી, એ દોષાભાસ છે. જો આવા વખતે સ્થિરાદિ દષ્ટિનો જ આભાસ હોય તો તે દોષ વાસ્તવિક છે, એમ માનવામાં કોઈ જ દોષ નથી. પૂર્વ પૂર્વ દષ્ટિમાં જે જે દોષનો અભાવ હોય છે અને જે ગુણોનું અસ્તિત્વ હોય છે તે તે દોષનો અભાવ કે તે ગુણો ઉત્તરદષ્ટિમાં તો હોય જ, એ સમજી શકાય છે. તાત્ત્વિક પક્ષપાત જેવા ગુણને પણ અસદભિનિવેશ માની દોષરૂપે વર્ણવવાનું સાહસ ખરેખર જ કદાગ્રહ છે. રેરા ચોથી દષ્ટિના વર્ણનનો ઉપસંહાર કરતાં તેના ફળનું વર્ણન કરે અભિનિવેશ સઘળો ત્યજીજી, ચાર લહી જેણે દષ્ટિ, તે લેશે હવે પાંચમીજી, સુયશ અમૃતધનવૃષ્ટિ, મનવા૨૩ ઉપર જણાવ્યા મુજબ લોકોત્તરધર્મની પ્રાપ્તિમાં મુખ્ય અવરોધક એવા કુતર્કની આ દષ્ટિમાં નિવૃત્તિ થાય છે. તેથી સર્વ પ્રકારના અસદભિનિવેશનો ત્યાગ કરી જેણે ચાર દષ્ટિ (ચોથી દષ્ટિ) પ્રાપ્ત કરી છે, તેને પાંચમી દષ્ટિ પ્રાપ્ત થશે. એ દષ્ટિમાં વેવસંવેદ્યપદની પ્રાપ્તિ થતી હોવાથી સમત્વાદિ લોકોત્તરગુણની પ્રાપ્તિની શરૂઆત થાય છે. તેથી તે દષ્ટિ સુંદર કોટિના યશસ્વરૂપ અમૃતની પ્રાપ્તિ માટે મેઘની વર્ષા જેવી છે. એ મેઘ વરસે એટલે અમૃતતુલ્ય સુંદર કોટિના યશની સાધકને પ્રાપ્તિ થાય છે-એ આ ગાથાનો પરમાર્થ છે. આવા પ્રકારના પરમાર્થને સમજાવનારી; મનને મુગ્ધ બનાવનારા હે જિનેશ્વર દેવ! આપની વાણી ખરેખર જ મધુર છે. QO Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy