SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૭૯ પુદ્ગલરચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન, એક માર્ગ તે શિવ તણો, ભેદ લહે જગદીન, મનવાળા આશય એ છે કે જે જીવો ભવાતીતાર્થયાયી એટલે કે સમ્યક્ષરતત્ત્વવેદી છે તેઓ આ જગતના શુભાશુભ પદાર્થોને પુલની રચનારૂપે સારી રીતે જાણે છે. એ પુદ્ગલની રચના તેના રાગદ્વેષની આધીનતાના કારણે અત્યંત દારુણ વિપાકને આપનારી બને છે, તેથી તે કારમી છે. આવી પુદ્ગલની રચના સ્વરૂપ સામાન્યજનોને ઉચિત એવા પ્રાકૃતભાવોમાં જેમનું મન લીન બનતું નથી તે ભવાતીતાર્થાયી છે. બાહ્યભાવોમાં ચિત્ત ઉત્સાહ વિનાનું હોવાથી તેમનું ચિત્ત વિશુદ્ધ હોય છે. વિષયકષાયની ઉપશમ અવસ્થા સ્વરૂપ તેમનો મોક્ષમાર્ગ એક જ છે. અર્થા આવા પુણ્યાત્માઓ માટે ઉપશમભાવમાં લીન એવું ચિત્ત જ મોક્ષપ્રાપ્તિનું મુખ્ય કારણ છે. તે તે ગુણસ્થાનકે તેઓ વિદ્યમાન હોવાથી બાહ્ય દષ્ટિએ તેમનો મોક્ષમાર્ગ જુદો જુદો છે, એમ લાગ્યા કરે. પરંતુ તે તે જીવો સમુદ્રમાં તે તે સ્થાને હોવાથી તેમનો તીરે પહોંચવાનો માર્ગ જુદો જુદો દેખાતો હોવા છતાં તે જેમ એક જ છે તેમ ભવાતીતાર્થયાયીઓનો મોક્ષમાર્ગ પણ એક છે. આ જગતમાં એક જ સ્વરૂપના મોક્ષમાર્ગમાં જે લોકો ભેદનું દર્શન કરે છે તે ખરેખર જ દીન છે-અજ્ઞાન છે. ૧૯ાા જો આ રીતે મોક્ષમાર્ગ એક જ હોય તો તેના ઉપદેશક એવા સર્વજ્ઞભગવંતોની દેશના જુદી જુદી કેમ ? આ શંકાનું સમાધાન કરતાં ફરમાવે છે કેશિખ્ય ભણી જિનદેશનાજ, કહે જનપરિણતિ ભિન્ન, કહે મુનિની નયદેશના, પરમારથથી અભિન્ન, મન મારવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy