SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ દીપ્રાદષ્ટિની સઝાય યોગમાર્ગમાં ક્યાં છીએ-તેનો ખ્યાલ આવી શકશે. સિદ્ધિ સુધી પહોંચવા માટે કેટલું અંતર કાપવાનું છે એનો ચોક્કસ ખ્યાલ આવે તો આપણને આપણી સાધનાને વેગવંતી બનાવવાનું શક્ય બને. ૧ળા. આ રીતે બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ સ્વરૂપ ત્રિવિધ બોધનું વર્ણન કરીને તે તે બોધપૂર્વકનાં અનુષ્ઠાનોનાં ફળનું વર્ણન કરતાં અઢારમી ગાથામાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કેબુદ્ધિકિયા ભવફળ દીએ, જ્ઞાન-કિયા શિવઅંગ, અસંમોહકિરિઆદીએજી, શીધ્ય મુગતિફળ ચંગ, મનના૧૮ આશય સ્પષ્ટ છે કે-(ઈન્દ્રિયાનુસારી બોધસ્વરૂ૫) બુદ્ધિપૂર્વકનાં અનુષ્ઠાનો મોક્ષની સાધના માટે કોઈ પણ રીતે ઉપયોગી બનતાં નથી. એનું ફળ માત્ર ભવભ્રમણ છે. કારણ કે આ અનુષ્ઠાનો શાસ્ત્રપૂર્વકના નથી. શાસ્ત્રનિરપેક્ષ અનુષ્ઠાન કોઈ પણ રીતે મોક્ષનું અંગ બનતું નથી. આગમના કારણે ઉત્પન્ન થનાર જ્ઞાનસ્વરૂપ બોધપૂર્વકનું અનુષ્ઠાન મોક્ષના સાધનને આપનારું બને છે. કારણ કે અહીં મૃતનો સમાવેશ હોવાથી અનુષ્ઠાન સાનુબંધ હોય છે. ઉત્તરોત્તર વિશુદ્ધ અનુષ્ઠાનની પ્રાપ્તિ કરાવવા દ્વારા આ અનુષ્ઠાન મોક્ષનું કારણ બને છે. અસંમોહ અનુષ્ઠાન તો એકાંતે પરિશુદ્ધ હોવાથી સારી રીતે પરતત્ત્વ-આત્મતત્ત્વના જાણકારોને વિના વિલંબે મોક્ષફળને આપનારું બને છે. સારી રીતે પરતત્ત્વના જાણકારોને ભવાતીતાર્થયાથી કહેવાય છે. એવા આત્માઓ જ અસંમોહદિયાને કરનારા હોય છે અને તેઓને જ વિના વિલંબે મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. ભવાતીતાર્થયાયીઓનું સ્વરૂપ ઓગણીસમી ગાથામાં વર્ણવાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy