SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાદષ્ટિની સઝાય કરીએ તો પ્રતિકૂળતા તો આવે પરંતુ ત્યારે સદનુષ્ઠાનના યોગીઓને અરતિ થતી નથી. બલ્ક સિદ્ધિની સમીપ કે સમીપતરાદિ અવસ્થાને પ્રાપ્ત કરવાથી રતિ થતી હોય છે. ક્રિયા પ્રત્યે આદર હોવાથી ક્રિયા કરતી વખતે રતિ જાળવવાનું શક્ય બને છે. ખેદ કે ઉદ્વેગને આ રતિથી સારી રીતે દૂર કરી શકાય છે. આથી ક્રિયાઓ ખૂબ જ સુંદર રીતે અપ્રમત્તપણે થાય છે. આવી વિશુદ્ધ ક્રિયાઓ નિર્જરાવિશેષનું કારણ બને છે. આવી રીતે વિશુદ્ધ ક્રિયાના કારણે ફલિષ્ટ કર્મની નિર્જરા થવાથી અને સુંદરવિપાકવાળા પુણ્યની પ્રાપ્તિ થવાથી, ભૂતકાળમાં જેમ ક્રિયામાં વિપ્નો આવતાં હતાં અને કોઈ અનુકૂળતા મળતી ન હતી, તેવું હવે બનતું નથી. સાધકને સ્વાભાવિક જ વિપ્નનો અભાવ થાય છે અને સંપત્તિનો આગમ-યોગ થાય છે. સદનુષ્ઠાનનાં આ પણ બે લક્ષણ છે. જે અનુષ્ઠાન કરવાનો આપણે નિર્ણય કરીએ તે અનુષ્ઠાન કરતી વખતે કોઈ પણ વિપ્ન ન આવે અને તેને અનુકૂળ એવી સાધનસામગ્રી મળ્યા કરે એ આપણા સદનુષ્ઠાનને જણાવે છે. પાપની પ્રવૃત્તિ કરતી વખતે આવું ઘણીવાર આપણને જોવા મળે છે. પાપ કરતી વખતે કોઈ વિઘ્ન ન આવે અને એને અનુકૂળ સામગ્રી મળે. આવું જ સાધકને સાધનામાર્ગે બનતું હોય છે. સદનુષ્ઠાનના સ્વામીને અનુષ્ઠાન કરતી વખતે કોઈ પણ વિઘ્ન આવતું નથી, એનો અર્થ એ છે કે એ વિપ્ન સાધનામાં વિનરૂપ બનતું નથી. એ જ રીતે સંપત્તિનો આગમ થાય છે, એનો અર્થ એ છે કે કોઈ પણ સાધન-સામગ્રીની ન્યૂનતા વર્તાતી નથી. ગમે તેવા કપરા સંયોગોમાં સાધનનો પ્રતિબંધ થતો નથી-એ જ વિદનના અભાવવાળી અને સંપત્તિના આગમવાળી અવસ્થા છે. સાધકની સાધક્તા વસ્તુતઃ સાધનની અપેક્ષામાં નથી. વિદ્યમાનને સાધન બનાવવાનું સામર્થ્ય જેનામાં હોય એવા સાધકોને સિદ્ધિ સહજ ભાવે મળતી હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy