SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિ-એક પરિશીલન એમાં એકમાત્ર કારણ એ ગ્રંથિસ્વરૂપ પરિણામ છે. પહેલી ચાર દૃષ્ટિઓમાં શુદ્ધ યથાપ્રવૃત્તિકરણના પ્રભાવે ગ્રંથિને ગ્રંથિ તરીકે ઓળખવાનું સહજપણે થઈ જાય છે. ચોથી દૃષ્ટિના અંતે જીવને આ ગ્રંથિ પ્રત્યે ભારે નફરત પેદા થાય છે. તેથી ગ્રંથિને ભેદી નાખવાના તેવા ઉત્કટ પરિણામ સ્વરૂપ અપૂર્વકરણથી અહીં ગ્રંથિનો ભેદ થાય છે. અનાદિકાળથી જીવને સંસારના સુખ-દુ:ખ પ્રત્યે રાગ-દ્વેષ હતા તેના બદલે હવે જીવને મોક્ષ પ્રત્યે તીવ્ર રાગ થાય છે અને સંસારના સુખ પ્રત્યે તીવ્ર દ્વેષ થાય છે. રાગ-દ્વેષના તીવ્રપરિણામ સ્વરૂપ ગ્રંથિના ભેદાવાથી વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થાય છે. તેથી ભૂતકાળમાં ઉપાર્જેલા કોઈ કર્મના ઉદયે કોઈ વાર પાપની પ્રવૃત્તિ થાય તો તે જીવની તે પાપની પ્રવૃત્તિ છેલ્લી હોય છે. તે પણ તપેલા લોઢા ઉપર પગ મૂકવા સમાન વૃત્તિ હોય છે. અહીં ધૃતિનો અર્થ વૃત્તિ છે. સ્થિરતાપૂર્વકના વર્તનને ધૃતિ કહેવાય છે. અસ્થિર વૃત્તિને, એનું કોઈ ફળ ન હોવાથી વર્તન કહેતા નથી. સ્થિર વૃત્તિ જ ખરેખર વૃત્તિ છે. આથી સ્પષ્ટ છે કે વૃત્તિ અને ધૃતિ એક અપેક્ષાએ જુદી નથી. અન્ય ગ્રંથોમાં ‘તમલોહપદસમવૃત્તિ’ આવો પાઠ છે-તે આ રીતે સંગત છે. તપેલા લોઢા ઉપર આમ જોઈએ તો કોઈ જ પગ ન મૂકે. કોઈ વાર વિષમ સંયોગોમાં પગ મૂકવો જ પડે તો તે કઈ રીતે પગ મૂકે-એ આપણે સમજી શકીએ છીએ. આવી જ સ્થિતિ ગ્રંથિ ભેદાયા પછી જીવની છે. આમ જોઈએ તો ગ્રંથિનો ભેદ થયા પછી પાપાકરણનિયમના કારણે જીવ પાપ કરે નહિ. ભૂતકાળના તેવા પ્રકારના કોઈ કર્મના ઉદયે પાપ કરવું પડે તો તેવી પ્રવૃત્તિ પણ તપેલા લોઢા ઉપર પગ મૂકવાની પ્રવૃત્તિ જેવી છે અને અંતે તેની પણ નિવૃત્તિ થાય છે. અર્થાત્ સર્વથા પાપની પ્રવૃત્તિ બંધ થાય છે. એકવાર પણ જેને પાપના સ્વરૂપનો અને પાપના વિપાકનો ખ્યાલ Jain Education International ૫૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy