SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૫૫ વક્તાના તાત્પર્ય અનુસાર વસ્તુના તે તે સ્વરૂપને સમજવા માટેના સાધનને ‘નય’ કહેવાય છે. વસ્તુના અનંતધર્મોના સ્વરૂપમાંથી આંશિક સ્વરૂપ સમજાવવાનું કાર્ય નય’નું છે. સામાન્ય રીતે વક્તાના તાત્પર્ય વગેરેનું અનુસંધાન કરીને જે અર્થ પ્રતીત થાય છે તે નયથી જણાતો અર્થ છે. એટલે આમ જોઈએ તો જેટલા વક્તાના અભિપ્રાય છે, તેટલા નય છે. પરંતુ એ બધાનો સાત નયમાં સમાવેશ કરી શકાય છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત આ સાત નય છે. તે તે પદાર્થના જ્ઞાન માટે જેટલા માર્ગ છે તે બધા જ માર્ગે જણાતા વસ્તુસ્વરૂપને નૈગમન સ્વીકારે છે. સંગ્રહનય, વસ્તુઓની સમાનાકૃતિ કે જાતિ વગેરેની સમાનતાના કારણે અનેક વસ્તુઓને પણ એક જ વસ્તુ માને છે. વ્યવહારમાં પ્રસિદ્ધ જ વસ્તુસ્વરૂપનો સ્વીકાર કરનાર વ્યવહારનય છે. માત્ર વર્તમાનકાલીન અને પોતાના જ માટે ઉપયોગી એવી જ વસ્તુને વસ્તુ તરીકે માનવાનું કાર્ય ઋજુસૂત્રનય કરે છે. આ ચાર અર્થનય’ છે. અર્થ કરતાં પણ તેને જણાવનાર શબ્દ જ મુખ્યાર્થ છે-એમ શબ્દનય ફરમાવે છે. પર્યાયવાચક(સમાનાર્થી શબ્દો હોય તો પણ તે તે શબ્દના અર્થની ભિન્નતાને જણાવનાર સમભિરૂઢનય છે અને શબ્દની વ્યુત્પત્તિના અર્થથી સંગત જ અર્થને વસ્તુ તરીકે જણાવવા માટે એવભૂતનય છે. કોઈ પણ અપેક્ષાએ ઘડો હોય તો ઘડાને ઘડો માનવાનું નૈગમન જણાવે છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ અથવા ઉપયોગી કે નિરુપયોગી વગેરે અપેક્ષાને આંખ સામે રાખી જગતના બધા જ ઘડાને ઘડા તરીકે નૈગમનય જણાવે છે. બધા જ ઘડાને, તેમાં રહેલી ઘટત્વ જાતિ વગેરેની અપેક્ષાએ એક ઘડો માનવાનું સંગ્રહનય જણાવે છે. અનેકાનેક પદાર્થોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy