SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ દીપ્રાદષ્ટિની સઝાય સંવેદ્યપદની પ્રાપ્તિ સરળતાથી થાય એવી નથી. સમર્થ જ્ઞાનીની નિશ્રા પણ આપણા માટે અપેક્ષિત જ્ઞાનનું કારણ ન બને તો માનવું રહ્યું કે આપણી દુર્દશાની કોઈ સીમા જ નથી. વેદ્ય એવા શિવ અને બંધના હેતુઓનું જે જ્ઞાન છે તેને વેદ્યસંવેદ્યપદ તરીકે વર્ણવીને તે જ્ઞાન પણ સામાન્ય કક્ષાનું ન હોવું જોઈએ એ જણાવવા છઠ્ઠી ગાથામાં ફરમાવ્યું છે કે નય અને નિક્ષેપાથી એ જ્ઞાન અતિશય સુંદર હોવું જોઈએ. એવા જ્ઞાનને જ વેદ્યસંવેદ્યપદ કહેવાય છે. દરેક પદથી જણાતો અર્થ; સામાન્ય રીતે ચાર પ્રકારે જણાતો હોય છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચાર પ્રકારે પ્રાય: દરેક પદો અર્થને સમજાવતાં હોય છે. એ ચાર પ્રકાર ચાર નિક્ષેપો સ્વરૂપ છે. આ ઘટ’ બોલે છે, આ ચિત્રમાં ઘટને જુઓ, અહીં ઘટ થાય છે અને પાણી પીવાની ઈચ્છાથી કોઈ કહે છે) ઘટને લાવ-આ ચારેય વાક્યમાં ઘટ નામનો પ્રયોગ છે. પરંતુ દરેક વાક્યમાં ઘટ નામનો અર્થ એક નથી. અનુક્રમે ઘટ-નામ, ઘટ-સ્થાપના, ઘટ-દ્રવ્ય અને ઘટભાવને સમજાવવા અહીં ઘટ નામનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અર્થબોધક તે તે શબ્દને તે તેનામસ્વરૂપ અર્થ કહેવાય છે. અર્થપરિચાયક સ્થાપનાને સ્થાપનાસ્વરૂપ અર્થ કહેવાય છે. જે કારણ, કાર્યસ્વરૂપ અર્થમાં પરિણમે છે તે કારણને દ્રવ્યસ્વરૂપ અર્થ કહેવાય છે અને જે અર્થ પોતાના કાર્યને કરે છે તેને ભાવસ્વરૂપ અર્થ કહેવાય છે. ઘટ’ આ પ્રમાણેના શબ્દને નામઘટ કહેવાય છે. ચિત્ર વગેરેમાં દોરેલ ઘટની આકૃતિ વગેરેને સ્થાપનાઘટ કહેવાય છે. માટી વગેરેને અથવા ખાલી ઘટને દ્રવ્યઘટ કહેવાય છે અને પાણીથી ભરેલા ઘટને ભાવઘટ કહેવાય છે. ચાર નિક્ષેપાનું આ સામાન્ય સ્વરૂપ છે. જિજ્ઞાસુઓએ એનું વિસ્તૃત સ્વરૂપ પૂજ્ય ગુરુભગવંત પાસેથી સમજી લેવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy