SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૪૭ દીપપ્રભાતુલ્ય બોધ છે. આ પૂર્વેની ત્રણ દષ્ટિના બોધની અપેક્ષાએ આ દષ્ટિનો બોધ પ્રમાણમાં ખૂબ જ નિર્મળ છે અને સ્થિર પણ છે. તૃણ, છાણા કે કાષ્ઠના અગ્નિની અપેક્ષાએ દીપની પ્રભા સ્થિર અને નિર્મળ હોય છે-એ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. એનો વિચાર કરવાથી આ દષ્ટિમાં પ્રાપ્ત થયેલા બોધની વિશેષતા આપણને સારી રીતે જણાયા વિના નહિ રહે. અત્યાર સુધી જે રીતે આપણે અજ્ઞાનના કારણે સંસારમાં પરિભ્રમણ ક્યું છે, એનો સ્પષ્ટપણે ખ્યાલ આ દષ્ટિમાં આવે છે. યોગમાર્ગની સાધનામાં સાધકને એવો ખ્યાલ જો ન આવે તો સાધના દિશાવિહીન બની જતી હોય છે. ચિકિત્સામાં રોગીના રોગના નિદાનનું જેટલું મહત્ત્વ છે, એટલું જ મહત્ત્વ યોગની સાધનામાં ભવભ્રમણના નિદાનનું છે. નિદાન વિનાની ચિકિત્સાના પરિણામનો જેને ખ્યાલ છે તેને ભવભ્રમણના નિદાનનું મહત્ત્વ સમજાયા વિના નહિ રહે. અત્યારે મોટે ભાગે સાધવર્ગની સાધના નિદાનવિહીન ચિકિત્સા જેવી છે. એમાં ચોથી દષ્ટિનો અભાવ મુખ્ય કારણ છે. પૂર્વે જણાવ્યા મુજબ યોગની દષ્ટિઓ જ્ઞાનસ્વરૂપ છે. આ દષ્ટિમાં દીપપ્રભાસમાન બોધ-જ્ઞાન છે. આ બોધના પ્રભાવે આ દષ્ટિમાં ભવભ્રમણના કારણરૂપે અનાત્મ(શરીરાદિ) ભાવોની રમણતા જણાય છે. તેથી ભાવપ્રાણાયામની સાધનાનો અહીં આરંભ થાય છે. ભાવપ્રાણાયામનું સ્વરૂપ વર્ણવતાં પૂર્વે ગ્રંથકાર પરમર્ષિએ શ્રી વીતરાગપરમાત્માની પરમતારક વાણીની મધુરતા વર્ણવી છે. ભવની ભયંકરતાનો સામાન્ય પણ ખ્યાલ આવે તો ભવથી મુકત બનાવનારી શ્રી જિનેશ્વરદેવોની વાણીની મધુરતા સમજી શકાશે. Jain Education International al For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy