SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદષ્ટિની સક્ઝાય ગુરુદેવ પ્રત્યે સાધકનું બહુમાન વધે છે અને એ બહુમાનના પ્રભાવે એ ભવ્યાત્મા યોગીજનનો પરિચય ખૂબ જ કરે છે. તે પરિચયના કારણે મિત્રાદષ્ટિમાં મળેલો અલ્પ બોધ થોડો વધવાથી તારાદષ્ટિમાં જીવનું ગમન થાય છે. યોગીજનના સુંદર સહવાસથી તારાદષ્ટિમાં બોધની થોડી સ્થિરતા મળે છે, જેથી પૂર્વદષ્ટિમાંના યોગના પ્રથમ અંગ યમની જેમ યોગના બીજા અંગરૂપે નિયમની પ્રાપ્તિ થાય છે. શૌચ, સંતોષ, તપ, સઝાય અને ઈશ્વરધ્યાન : આ પાંચ નિયમ છે. યોગમાર્ગની સાધનામાં પ્રવર્તનારા આત્માઓની એ એક વિશેષતા છે કે તેઓને યોગીજનનો સમાગમ ખૂબ જ પ્રિય હોય છે. નિરંતર યોગીજનના સાંનિધ્યને ઈચ્છનારા એ સાધક આત્માઓને જ્યારે જ્યારે યોગીજનોનો સહવાસ મળે છે ત્યારે ત્યારે તેઓ યોગીજનનાં દર્શનાદિ દ્વારા પોતાના આત્માને પવિત્ર કરતાં ખૂબ જ આનંદ પામે છે. આજે કહેવાતા ધર્મીવર્ગમાં આ વિષયમાં તદ્દન વિપરીત સ્થિતિ છે. મોક્ષમાર્ગની જ નહિ, દુનિયાની કોઈ પણ કલાની સાધનામાં પણ તેના નિષ્ણાતોનું જે મહત્ત્વ છે એનો વિચાર કરીએ તો યોગીજનોનું દર્શન વગેરે લોકોત્તર માર્ગના અનુયાયીઓને કેટલું પ્રિય હોવું જોઈએ એનો ખ્યાલ આવશે. મિત્રાદષ્ટિમાંના નિર્મળ અલ્પ એવા પણ બોધના પ્રભાવે યોગીજનો પાસે નિરંતર યોગમાર્ગના શ્રવણથી તારાદષ્ટિમાં બોધ થોડો નિર્મલતર બને છે. પાંચ યમની સાધનાથી મુખ્યપણે બાહ્ય આચાર શુદ્ધ બને છે. આંતરિક જીવનને શુદ્ધ બનાવવા ઉપર જણાવેલા શૌચ વગેરે પાંચ નિયમની પ્રાપ્તિ ખૂબ જ આવશ્યક હોય છે. પાંચ નિયમ વિનાના પાંચ યમોનું આસેવન વસ્તુતઃ બાહ્ય દેખાવરૂપ જ બની રહે છે. આ વસ્તુને સમજી શકનારા જીવો બીજી દષ્ટિને પામે છે. મનવચન-કાયાની પવિત્રતાને શૌચ કહેવાય છે. એમાં પણ મુખ્યપણે · Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy