SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૨૩ મિત્રાદષ્ટિ યોગની પ્રથમ દષ્ટિ છે. આત્માની પરમપદ તરફની ગતિનો અહીં પ્રારંભ છે. આત્માના વિકાસની અપેક્ષાએ ચૌદ ગુણસ્થાનકની અવસ્થા અને આ આઠ દૃષ્ટિની અવસ્થામાં કથંચિત્ સામ્ય છે તેથી પ્રથમ દષ્ટિ જે ગુણસ્થાનકે જીવને પ્રાપ્ત થાય છે અર્થાત્ જે ગુણસ્થાનક આ પ્રથમ દષ્ટિમાં હોય છે તે પંદરમી ગાથાથી વર્ણવી આ સજઝાય પૂર્ણ કરાય છેકરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે, મુખ્યપણે તે ઈહાં હોએ, સુજસ વિલાસનું ટાણું રે, વીર જિણેસર દેશના ૧૫ પહેલા ગુણસ્થાનકની અપૂર્વકરણના નજીકની જે અવસ્થા છેતે અવસ્થાવાળું પહેલું ગુણઠાણું મુખ્યપણે આ મિત્રાદષ્ટિમાં હોય છે. મિત્રાદષ્ટિમાંનું આ પ્રથમ ગુણઠાણું જ્યાં સુંદર યશ છે એવા મોક્ષમાં વિલસવાનો એક સુંદર અવસર છે. અહીં સુજસે આ પદથી સક્ઝાયના રચયિતાનું નામ પણ સૂચિત થાય છે. પ્રથમ અપૂર્વકરણની નજીકની પહેલા ગુણઠાણાની અવસ્થા એટલે કે શુદ્ધયથાપ્રવૃત્તિકરણની ઉત્તરાવસ્થા અને પ્રથમ દષ્ટિની અવસ્થા બંન્ને લગભગ એક છે. આયુર્મને છોડીને અન્ય સાત કર્મની સ્થિતિ જ્યારે એક કોડાકોડી સાગરોપમથી પણ કાંઈક ઓછી હોય છે, ત્યારે જીવ ગ્રંથિદેશે આવે છે. એ જીવને યથાપ્રવૃત્તિકરણ હોય છે. આ યથાપ્રવૃત્તિકરણ જીવને અનંતીવાર પ્રાપ્ત થતું હોય છે અને પ્રાપ્ત થયા પછી અનંતીવાર જતું પણ રહે છે. નદીના પાષાણ અથડાતા ટીચાતા જેમ ગોલ બની જાય છે તેમ અકામનિર્જરાથી પણ પ્રાપ્ત થયેલી કર્મલઘુતાના કારણે ગ્રંથિદેશે આવવાનું બની જાય છે. એ માટે જીવને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy