SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદષ્ટિની સજ્ઝાય આંશિક ત્યાગ અહીં પ્રાપ્ત થાય છે. સામાન્ય બોધની સાથે નિવૃત્તિસ્વરૂપ સામાન્ય યમના સથવારે સાધકને અનાદિકાળથી ચાલ્યો આવતો શુભ પ્રવૃત્તિનો ખેદ દૂર થાય છે. સંયોગવશ જ્યારે પણ શુભ પ્રવૃત્તિનો પ્રસંગ આવે ત્યારે જોઈએ એવી રુચિનો અભાવ હોવાથી અનાદિકાળથી આ ખેદ ચાલુ હતો. આ દૃષ્ટિના સામર્થ્યથી તે ખેદ દૂર થાય છે. યોગમાર્ગની પ્રાપ્તિ, સ્થિતિ અને પૂર્ણતાના અવરોધક જે આઠ દોષો છે તેમાં આ ખેદ દોષ અગ્રેસર છે. અર્થ અને કામની તે તે જાતની કોઈ વિશેષ પ્રવૃત્તિમાં અથવા અધ્યયન કે રમત-ગમતની તે તે પ્રવૃત્તિમાં જેને ખેદ હોય છે, તેને તે તે પ્રવૃત્તિમાં પ્રવર્તાવવાનું કેટલું અઘરું છે-એ આપણે સારી રીતે જાણીએ છીએ. માણસને તે તે પ્રવૃત્તિ કરતી વખતે અણઆવડત હોય, સામર્થ્ય ન હોય અથવા પ્રમાદ વગેરે નડતો હોય તો તેને દૂર કરવાનું એટલું અઘરું નથી. પરંતુ જેને તેનો ખેદ જ હોય તો એવાઓને તેમાં પ્રવર્તાવવાનું ખૂબ જ અઘરું છે. યોગમાર્ગને અનુકૂળ એવી શુભ પ્રવૃત્તિ અંગે આપણી આવી જ દશા છે ને ? આ ખેદ ખૂબ જ ખરાબ છે. સાધકને કોઈ પણ સંયોગોમાં આ દોષ પાલવે જ નહિ. શુભ પ્રવૃત્તિથી દૂર ને દૂર રાખનારો આ દોષ છે. આ દોષ પ્રથમદષ્ટિથી દૂર થાય છે. એમાં મુખ્ય કારણ સહજ રીતે થયેલી કર્મની લઘુતાના કારણે ઉત્પન્ન થયેલી રુચિ છે. પેટમાં જામેલા મળના કારણે થયેલી ખાવાની અરુચિ જેમ તે મળના વિગમથી દૂર થાય છે તેમ યોગની અરુચિ, સહજ રીતે થયેલી કર્મની લઘુતાના કારણે દૂર થાય છે અને તેથી ખેદ દૂર થાય છે. આ રીતે ખેદ દૂર થયા બાદ જ્યારે જ્યારે શુભ પ્રવૃત્તિ કરે છે ત્યારે કોઈ વાર તેમાં અવરોધ કરનારા પણ મળે. આવા વખતે પ્રથમદષ્ટિવાળા આત્માને તેની પ્રત્યે દ્વેષ થતો નથી. શુભ પ્રવૃત્તિમાં ખેદ ન હોય પણ એની સાથે તેનાથી ઈતર પ્રવૃત્તિ પ્રત્યે જો દ્વેષ હોય તો શુભ ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy