SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિ-એક પરિશીલન તે સાધકોને કોઈવાર દેવકે મનુષ્યભવમાં જવાનું બને છે અને તેથી તે તે ભવને અનુરૂપ સુખના અનુભવમાં મોક્ષમાર્ગે પ્રયાણ અટકી ગયું છેએવું લાગે છે ખરું, પરંતુ વાસ્તવિક રીતે વિચારીએ તો મુક્તિમાર્ગમાં આરંભેલું તે તે સાધકનું પ્રયાણ અટકી પડતું નથી. કોઈ એક મુસાફર ઈષ્ટ સ્થાનકે પહોંચવાના ઈરાદે સમગ્ર દિવસ ચલાય એટલું ચાલ-ચાલ કરી રાત્રે એક સુરક્ષિત સ્થાને શયન કરી વિસામો લે છે અને સવારે ઊઠી વિશેષરૂર્તિથી ઈષ્ટ સ્થાન તરફ પ્રયાણ કરે છે. અહીં ઈષ્ટ સ્થાને પહોંચવાના ઈરાદે મુસાફરે આદરેલું પ્રયાણ આમ જોઈએ તો રાત્રે અટકી પડેલું દેખાય છે, પરંતુ જેવી રીતે બીજા દિવસના પ્રયાણ માટેનું તે રાત્રિશયન છે, તેવી રીતે સ્થિરાદિ ચાર દષ્ટિમાં દેવ કે નરભવમાંના સુખના અનુભવ વખતે પણ સાધકનું માર્ગગમન અટકેલું હોતું નથી. પરંતુ પુણ્યાનુબંધી પુણ્યના એ અનુભવમાં પણ તેવા પ્રકારના કર્મની નિર્જરા થતી રહે છે. યોગમાર્ગની આ અચિન્ય પ્રભાવ છે. આ બધી વાતોને વિચારી આપણી સાધના અંગે ખૂબ જ સ્થિરતાપૂર્વક વિચારવાની જરૂર છે. સાધનાનો વિરામ ઉત્કટ સાધનાના પ્રારંભ માટેનો છે કે ખરેખર જ સાધના અટકી પડી છે ? સાધકે સતત આનો ખ્યાલ રાખવો જોઈએ. ફળનો વિલંબ સાધક માટે હજુ નભાવી લેવાય પરંતુ સાધના બંધ થઈ જાય તે કઈ રીતે નભાવાય ? આજે આ તરફનું ધ્યાન ખૂબ જ ઓછું થયું છે. લગભગ નથી-એમ કહીએ તોય કશું ખોટું નથી. આ લક્ષણ સાધનાના આરંભનું નથી-આ વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. આપણા હું જ છું સામાન્યપણે યોગની દષ્ટિ વર્ણવતાં પ્રાસંગિક વસ્તુ જણાવી, હવે છઠ્ઠી ગાથાથી પ્રથમદષ્ટિનું વર્ણન કરાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy