SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ યોગીજનોની પાસે નિરન્તર રહેવાથી સાધકને એ સાધન સુલભ બને છે. સંસારની નિર્ગુણતાને જાણ્યા પછી એ જ્ઞાન ટકી રહે, નિર્મળ બને અને આત્મા સંસારથી વિમુખ બને એ માટે પણ સંસારની નિર્ગુણતાનું પરિભાવન દરરોજ કરતા રહેવું જોઈએ. આજના મોટાભાગના સાધકોની સાધનામાં ઉલ્લાસ જેવું જણાતું ન હોય તો તેના મૂળમાં પણ નિર્વેદસ્વરૂપ પરિણામની જ ખામી છે-એ જણાયા વિના નહિ રહે. - આ નિર્વેદાત્મક પરિણામને પામ્યા પછી આત્માને મોક્ષનો અભિલાષ થાય છે જેને અનંતજ્ઞાનીઓ સંગ તરીકે વર્ણવે છે. મોક્ષની સાધનાનો આ સ્થાયીભાવ છે. સંવેગની મંદતાદિના કારણે સાથનામાં પણ મંદતાદિ આવે છે. મોક્ષની ઇચ્છા સાચી રીતે જન્મ અને એ ઉત્કટ બને તો આ સંસારમાં આપણને કોઈ રાખી શકે એમ નથી અને મોક્ષે જતાં આપણને કોઈ અટકાવી શકે એમ નથી. નિકાચિત કોટિના કર્મના અનુબંધને તોડવાનું સામર્થ્ય જ આ સંવેગથી ઉત્પન્ન થાય છે. સંસારના કોઈ પણ પદાર્થની ઇચ્છા થયા પછી એની પ્રાપ્તિ માટે ગમે તેવાં કષ્ટ વેઠીને પણ એને મેળવવા માટેનો જેમ પ્રબળ પ્રયત્ન થાય છે તેમ મોક્ષની ઇચ્છા થયા પછી તે ન મળે ત્યાં સુધી સાધકને નિરાંતે બેસી રહેવાનું પાલવતું નથી. મોક્ષની સાધના માટે પ્રયત્નશીલ બન્યા પછી મોક્ષ ન મળે તો માનવું પડે કે સાધન પરિપૂર્ણ નથી. એ અપરિપૂર્ણતાનો વિચાર કરીએ તો છેલ્લે મોક્ષની ઈચ્છામાં જ ખામી જણાશે. આવા વખતે એનું દુઃખ પણ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy