SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વથા નિષ્ફળ જ છે. મોક્ષના કારણભૂત ચારિત્રતત્વના અનુભવમાં આવતા સ્થાનાદિ યોગો ચારિત્રીને જ હોય છે. યોગના કારણભૂત સ્થાનાદિ, યોગના બીજ રૂપે અપુનબંધક કે સમ્યગદૃષ્ટિ જીવોને હોય છે. આ વાત નિશ્ચયનયની છે. વ્યવહારનય તો યોગના બીજને પણ યોગરૂપે સ્વીકારે છે. તેથી યોગના સ્વામી તરીકે અપુનબંધકાદિ જીવો પણ છે. આ વાત વ્યવહારનયની છે. મિથ્યાત્વમોહનીયર્મની ૭૦ કોટાકોટી સાગરોપમ પ્રમાણ સ્થિતિ અથવા ઉત્કૃષ્ટ રસ જે જીવો ફરીથી ક્યારે પણ બાંધવાના નથી, એ જીવોને અપુનબંધક કહેવાય છે. આથી સમજી શકાશે કે અપુનબંધક અને અવિરતસમ્યગ્દષ્ટિ જીવો પણ વ્યવહારનયની અપેક્ષાએ યોગના સ્વામી છે. નિશ્ચયનયની અપેક્ષાએ દેશથી કે સર્વથા વિરતિને ધરનારા યોગના સ્વામી છે. એકવાર અથવા બે ત્રણવાર પણ જેઓ મિથ્યાત્વમોહનીયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધવાના છે એવા સબન્ધકાદિ છવો યોગના સ્વામી બનતા નથી. આ રીતે યોગના સ્વામીને બન્ને નયથી બતાવીને હવે ચોથી ગાથામાં યોગના પ્રતિભેદ દર્શાવે છે - इक्किक्को य चउद्धा इत्थं पुण तत्तओ मुणेयव्वो । इच्छापवित्तिथिरसिद्धिभेयओ समयनीइए ॥४॥ આશય એ છે કે અહીં સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન આ પાંચ પ્રકારના યોગને વિષે સામાન્યથી તે તે યોગ એક જ પ્રકારનો જણાતો હોવા છતાં, વસ્તુતઃ યોગશાસ્ત્રમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy