SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ બાબતમાં દર્દી કેટલી કાળજી રાખે છે ? આવી કાળજીભરી સારવાર માટે હૉસ્પિટલો પણ છે ને ? તો પછી ભવરોગની ચિકિત્સા માટે . ધર્મસ્વરૂપ ઔષધનું સેવન કરવાનું નક્કી કર્યા પછી-એ માટે પ્રણિધાન કેવું જોઈએ-એ સમજી ન શકીએ એટલા આપણે મૂર્ખ છીએ ? ગમે તે રીતે ધર્મ કરાવવાની સાધુ-સાધ્વીને કેમ ઉતાવળ છે-એ જ સમજાતું નથી. આવી રીતે પ્રણિધાનશૂન્ય ધર્મ કરાવવામાં એ કરાવનારનું કે કરનારનું કઈ રીતે હિત થાય ? આપણી ધર્મક્રિયાઓ કરવા કે કરાવવાની પ્રવૃત્તિની જેમ ડોક્ટરો ચિકિત્સા કરે અને આપણે કરાવીએ તો શું થાય - એની તમને કલ્પના હોય તો તમારી ધર્મક્રિયાઓથી પણ શું થશે - એની તો કલ્પના કરી શકશો. વર્તમાનમાં પ્રણિધાનશૂન્ય તે તે ધર્મક્રિયાઓ ઠીક ઠીક વધી છે અને વધી રહી છે. પરંતુ આવી ધર્મક્રિયાઓથી રાજી થઈને પાપ બાંધવાની ખરેખર જ જરૂર નથી. આવી ધર્મક્રિયાઓની અનુમોદના કરીને અવિધિને ઉત્તેજન આપવાની પ્રવૃત્તિ ખૂબ જ ઝડપથી વધી રહી છે. આમાં આપણે અજાણતાં પણ સહભાગી બની ના જઈએ-એ માટે જ આટલી વાત કરી છે. કોઇની ટીકાટિપ્પણ કરવાનો આશય નથી. આપણે એ લોકોની એવી પ્રવૃત્તિને અટકાવી નહીં શકીએ. પરંતુ આપણી જાતને બચાવી શકીશું. માત્ર જાત બચાવવાના ભાવની અપેક્ષા છે. વર્તમાન પરિસ્થિતિ પણ કેટલી વિષમ છે ? આવાં પ્રણિધાનશૂન્ય પૂજા વગેરેનાં અનુષ્ઠાનો આજે શાસનપ્રભાવનાનાં અંગ મનાઈ રહ્યાં ૧૪ ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy