SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ 1 વકીલો, પ્રોફેસરો અને વ્યાપારી વગેરે પોતપોતાના દરેક કાર્ય કરતી વખતે પ્રણિધાનશૂન્ય કરે તો – તેનું શું પરિણામ આવે – તે તમો સમજી શકો છો. પરન્તુ ધર્મની તે તે ક્રિયાઓ કરવાનું સ્વીકાર્યા પછી કયા કારણે આપણે પ્રણિધાન વિના તે કરીએ છીએ - એનો વિચાર કરવાની પણ આપણને આવશ્યકતા જણાઇ નથી. આવી આપણી ધર્મક્રિયાઓ કોઈ પણ રીતે આપણને મોક્ષે નહિ લઈ જાય. મોક્ષસાધકક્રિયાની અર્થિતા(ઈચ્છા) જાગ્યા વિના પ્રણિધાન નામનો પહેલો આશય નહીં પ્રગટે. પૂજા મધ્યાહ્નકાળે અને સ્વદ્રવ્યથી જ કરવાની છે એવી ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા છે. એ પૂજા; વિધિઅનુસાર કરવા માટે સવારથી જ પુષ્પાદિ સામગ્રીનું સમ્પાદન કરવા ખ્યાલ રાખવો - એ પ્રણિધાન છે. આજે મધ્યાહ્નકાળની પૂજા લગભગ નાશ પામી છે. ઈચ્છા મુજબ ગમે ત્યારે પૂજા કરવાની પ્રવૃત્તિએ ત્રિકાળપૂજાનો ઉચ્છેદ કર્યો છે. સાધુ-સાધ્વીજીઓ પણ મોટાભાગે પૂજા વગેરેનો ઉપદેશ આપતી વખતે કે એના નિયમ આપતી વખતે પૂજા વગેરેનો સમય જાળવવાનું કે સ્વદ્રવ્યાદિ વિધિનો ઉપયોગ રાખવાનું જણાવવા માટે ઉપેક્ષા સેવે છે. રોગને દૂર કરવાનું નક્કી કર્યા પછી ડૉક્ટરની દવા લેતી વખતે જે પ્રણિધાન છે – એવું પ્રણિધાન ધર્મક્રિયામાં કેમ નથી – એ વિચારવાનું હવે ખૂબ જ આવશ્યક છે. વા ક્યારે, કેટલીવાર અને કેટલા પ્રમાણમાં, કેવી રીતે લેવાની ? ત્યારે શું ખાવાનું ? શું નહિ ખાવાનું ? અને શું પીવાનું ? શું નહિ પીવાનું ? .....વગેરે - Jain Education International ૧૩ For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy