SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સ૦ સુખ આવ્યે જીવિતવ્ય વાંધ્યું, દુ:ખ આવ્યે મરણ વાં-એવી હાલત હોય તો શું કરવું ? આવેલું સુખ પણ છોડવા માટે તૈયાર થઈ જવું. જીવવું કે મરવું એ આપણા હાથની વાત નથી, સુખ છોડી દેવું અને દુ:ખ વેઠી લેવું એ આપણા હાથની વાત છે. મન થાય કે ન થાય, કર્યા વગર ચાલે એવું નથી. સુખ આવે કે દુ:ખ આવે, સુખની લાલચ મારીને દુ:ખની નફરત કાઢીને ધર્મ કરવા લાગી જવું છે. સ૦ દુ:ખમાં ધર્મ નથી સૂઝતો ! દુ:ખ ટાળવાનું મન છે માટે નથી સૂઝતો, બાકી તો દુ:ખમાં સહેલાઈથી ધર્મ સૂઝે છે. વર્તમાનનું દુ:ખ નથી ટાળવું, કાયમનું દુ:ખ ટળી જાય માટે પાપ ટાળવું છે, કર્મ ટાળવું છે આટલું સમજાઈ જાય તો અસહ્યદુ:ખમાં પણ ધર્મધ્યાન અવિચલ રહે છે. ગજસુકુમાલમુનિને સોળ વરસની ઉંમરે માથે સઘડી મુકાઈ, છતાં ધ્યાન ન ગયું. કયા કુળમાં તે જન્મેલા ? કૃષ્ણવાસુદેવના કુળમાં. એમનો સંસાર કેવો હશે ? સુખમય જ ને ? છતાં એ સંસાર દુ:ખથી ભરેલો લાગ્યો, અટારો લાગ્યો તો કાયાની માયા મૂકી દીક્ષા લીધી ને પહેલા જ દિવસે સ્મશાનમાં ચાલી નીકળ્યા. ભગવાને અનુમતિ પણ આપી, માથે સઘડી મુકાશે એમ ચેતવ્યા ય નહિ. ગજસુકુમાલમુનિ પોતે પણ માથે અંગારા ચંપાયા પછી ‘દુ:ખ પડે છે' એના બદલે ‘કર્મ ટળે છે’- એ ભાવનામાં ચઢયા તો કેવળજ્ઞાન પામી મુક્તિએ પહોંચ્યા. કૃષ્ણ મહારાજા અને દેવકી માતાને ખબર પડી ત્યારે શું થયું હશે ? પહેલા જ દિવસે સ્મશાનમાં કેમ જવા 100000 Y: 00000000 ૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001160
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 2
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy