SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પણ સ્વદ્રવ્યથી કરવાનું છે. ઉપાશ્રયમાં રાખેલાં કપડાંથી કે ઉપાશ્રયમાં પ્રતિક્રમણ માટે મૂકી જનાર શ્રાવકને પૂછ્યા વિના તેનાં સામાયિકનાં વસ્ત્રોથી સામાયિક ન કરાય. પૂછ્યા વગર કોઈની પણ વસ્તુ લેવાથી અદત્તાદાનનું પાપ લાગે છે. સામી વ્યક્તિ પોતે આપે છતાં આપણા માટે એ પરદ્રવ્ય હોવાથી જો તે વપરાય નહિ તો પૂછ્યા વગર કેવી રીતે વપરાય ? સ0 આશય તો સારો છે, સામાયિક કરવાનો જ છે ને ? આશય ગમે તેટલો સારો લાગતો હોય છતાં પણ જો ભગવાનની આજ્ઞા સચવાતી ન હોય તો તે સારા આશયની કોઈ કિંમત નથી. સવ આશયશુદ્ધિ કોને કહેવાય ? ભગવાનની આજ્ઞા પાળવાનો આશય-એનું નામ આશયશુદ્ધિ. સ૦ આ રીતે પણ સામાયિક કરવાનો આશય હોય તેને વ્યવહારથી આશયશુદ્ધિ ન કહેવાય ? આ વ્યવહાર નથી, આ તો અનુકૂળતા સાચવવાનો પરિણામ છે. વ્યવહાર તો તેને કહેવાય કે જે ભગવાનના શાસનને, ભગવાનની આજ્ઞાને અનુકૂળ હોય. પોતાની અનુકૂળતા મુજબ ધર્મ કરવો એ વ્યવહારશુદ્ધિ નથી. વર્તમાનમાં તમારો વ્યવહાર તો લગભગ માર્ગને અનુકૂળ બનવાને બદલે માર્ગને બાધક બને એવો છે. તમે આજ્ઞાને અનુકૂળ કેમ બનાય - એનો વિચાર કરો કે તમારી અનુકૂળતા કેવી રીતે સચવાય - એ વિચારો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy