SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ * * * આવો વિકૃત અર્થ આપણે કરી ન બેસીએ – એ માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે સાચી વસ્તુને સાચી રૂપે માન્યા પછી તેને પામવા માટે તીવ્ર અભિલાષા જાગે તો શ્રદ્ધા છે - એમ સમજવું. અભિલાષાનો અર્થ “તીવ્ર ઈચ્છા થાય છે, છતાં ય ગ્રંથકારશ્રીએ અહીં તીવ્ર અભિલાષાને શ્રદ્ધા તરીકે જણાવી છે તે ઈચ્છાની ઉત્કટતા સૂચવવા માટે છે. ચારિત્રધર્મ પામવા માટે જેટલું શક્ય હોય તેટલું કર્યા વગર ન રહે-તે ઈચ્છાની ઉત્કટતા. માત્ર સાંભળવાની અભિલાષા એ શ્રદ્ધા નથી, સાંભળેલું તત્ત્વ પામવા માટે રાતદિવસ મહેનત કરવી એનું નામ શ્રદ્ધા. આ શ્રદ્ધા પ્રવર કોટિની હોવી જોઈએ. પ્રવર શ્રદ્ધા કોને કહેવાય તે સમજાવવા માટે શ્રદ્ધાનાં ચાર લિંગો જણાવ્યાં છે. ૧. વિધિપૂર્વકની સેવા, ૨. જ્ઞાન-ચારિત્રના વિષયમાં તૃમિનો અભાવ, ૩. શુદ્ધ દેશના અને ૪. અલિતની પરિધિ . ૧. વિધિપૂર્વકની સેવા આપણે અહીં ભાવસાધુનાં લિંગોની વિચારણા શરૂ કરી છે. આ શ્રદ્ધા પણ સાધુપણાનાં લિંગ તરીકે જણાવી છે, તેથી તે સામાન્ય કોટિની નહિ હોય - એ સમજી શકાય છે. ગૃહસ્થપણાની શ્રદ્ધા કરતાં સાધુભગવન્તોની શ્રદ્ધા પ્રવરકોટિની હોય છે-તે સમજાવવા માટે અહીં શ્રદ્ધાનાં ચાર લિંગો જણાવ્યાં છે. મુખ્યત્વે સાધુભગવન્તને આશ્રયીને આ લિંગો બતાવેલાં હોવા છતાં ગૃહસ્થપણામાંથી આ ગુણોની યોગ્યતા કેવી રીતે કેળવાય છે તે ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy