SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના સૌથી પ્રથમ છે, અને સૂત્રરચનાની દષ્ટિએ આચારાંગ સર્વમાં પ્રથમ છે. અન્ય આચાર્યોના મત પ્રમાણે તીર્થંકર ભગવાન પૂર્વગત સૂત્રોનો અર્થ પ્રથમ કહે છે અને ગણધર ભગવાન પણ સૌથી પ્રથમ પૂર્વોની રચના કરે છે, ત્યાર પછી આચારાંગ આદિની રચના કરે છે.” આચારાંગચૂર્ણમાં જણાવ્યું છે કે સર્વે તીર્થકર ભગવાન આચારાંગનો અર્થ સૌથી પ્રથમ કહે છે અને ત્યાર પછી બાકીનાં ૧૧ અંગોનો અર્થ કહે છે અને તે જ ક્રમથી ગણધર ભગવાન પણ સૂત્રોની રચના કરે છે. શીલાંકાચાર્ય પણ આચારાંગવૃત્તિમાં જણાવે છે કે દરેક તીર્થંકર ભગવાન તીર્થનું પ્રવર્તન કરે ત્યારે સૌથી પ્રથમ આચારાંગને અર્થ હોય છે, ત્યાર પછી શેષ અંગોનો અર્થ હોય છે અને ગણધર ભગવાન પણ એ જ ક્રમથી સૂત્રરચના કરે છે. સમવાયાંગવૃત્તિમાં અભયદેવસૂરિજી મહારાજ એમ જણાવે છે કે આચારાંગસૂત્ર સ્થાપનાની દષ્ટિએ પ્રથમ છે, પરંતુ રચનાની દૃષ્ટિએ બારમું છે. શૈલી દશવૈકાલિક નિર્યુક્તિ (ગાથા ૧૬૯–૧૭૦)માં જણાવ્યું છે કે “નોમાતૃકાપદના બે પ્રકાર છેગ્રથિત અને પ્રકીર્ણક. ગ્રથિતના ચાર પ્રકાર છે લગઘ, ૨પદ્ય, ૩ ગેય અને ૪ ચૌર્ણ. દશવૈકાલિકની અગત્યસિંહરચિત ચૂર્ણિ, વૃદ્ધવિવરણ (આ પણ ચૂણિના નામથી પ્રસિદ્ધ છે) તથા હારિભદ્રી વૃત્તિમાં બ્રહ્મચર્યનો (આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધન) ચર્ણપદ શૈલીમાં સમાવેશ કરેલો છે. સૂત્રતાંગનિર્યુક્તિ (ગાથા ૩)માં શ્રુતજ્ઞાનરૂપી સૂત્રના ૧ સંજ્ઞાસૂત્ર, ૨ સંગ્રહસૂત્ર, ૩ વૃત્તનિબદ્ધસૂત્ર અને ૪ જાતિનિબદ્ધસૂત્ર એમ ચાર ભેદો જણાવ્યા છે. સૂત્રદ્ધાંગની ચૂર્ણિ અને શિલાચાર્યવિરચિતવૃત્તિમાં જાતિનિબદ્ધસૂત્રના ૧ કશ્ય, ૨ ગદ્ય, ૩ પદ્ય અને ૪ ગેય એમ ચાર ભેદો વર્ણવ્યા છે અને તેમાં ગદ્ય વિભાગમાં બ્રહ્મચર્ય (આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધનો સમાવેશ કરેલો છે. આ અંગેના પાઠો વિસ્તારથી અમે પાંચમા પરિશિષ્ટમાં પ્રારંભમાં આપેલા છે. આચારાંગસૂત્રની રચના ગદ્ય-પદ્ય મિશ્ર શેલીમાં છે. પ્રથમશ્રુતસ્કંધમાં આઠમા અધ્યયનનો આઠમો ઉદ્દેશક તથા નવમું અધ્યયન સંપૂર્ણપણે પદ્યમાં જ છે. બાકીનાં છ અધ્યયનોમાં ૧૫ પદ્ય १. " इथाणि पवत्तणं-सव्वेसिं आयारो० [गा० ८] गाहा। सव्वतित्थगरा वि आयारस्स अत्थं पढम आइक्खंति, ततो सेसगाणं एक्कारसहं अंगाणं, ताए चेव परिवाडीए गणहरा वि सुत्तं गंथंति । इयाणि पढममंग ति, किंनिमित्तं आयारो पढमं ठविओ? एत्थ गाहा-आयारो अंगाणं० [गा०९] । जेण कारणेण एत्थ आयारो चरणं चेव मोक्खस्स सारो, तत्थ य ठितो सेसाणि अंगाणि अहिज्जइ, तेण सो પઢમં તો”–આવારજૂ २. “ इदानी प्रवर्तनाद्वारम् । कदा पुनर्भगवताऽऽचारः प्रणीत इत्यत आह-सव्वेसिमित्यादि । सर्वेषां तीर्थङ्कराणां तीर्थप्रवर्तनादावाचारार्थः प्रथमतयाऽभवद् भवति भविष्यति च ततः शेषाङ्गार्थ इति। गणधरा अप्यनयैवानुपूर्ध्या सूत्रतया अथ्नन्तीति। इदानीं प्रथमत्वे हेतुमाह-आयारो इत्यादि।" आचारावृत्ति पृ०६।। 3. “प्रथममङ्गं स्थापनामधिकृत्य, रचनापेक्षया तु द्वादशमनम्"-समवायाङ्गवृत्ति पृ० १०१। દ્વાદશાંગીની સ્થાપના પૂર્વાનુપૂર્વીક્રમથી છે, પરંતુ રચના પાનપૂર્વક્રમથી છે' એવો આશય આ ઉલ્લેખથી જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001148
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1977
Total Pages516
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Conduct, & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy