SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના સ્થાનાંગના નવસ્થાનમાં (પૃ૦ ૨૭૩-૨૭૪, સૂ૦ ૬૮૦) ભગવાન મહાવીરના નવ ગણોનાં નામો આવે છે ગોદાસગણુ ૧, ઉત્તરબુલિતત્સતગણુ ૨, ઉદ્દેહગણું ૩, ચારગણું ૪, ઉદ્દવાતિતગણુ ૫, વિસ્સવાતિતગણુ ૬, કામિşિતગણુ છ, માણુવગણુ ૮, કોતિગણુ ૯. કલ્પસૂત્રની સ્થવિરાવલી (સૂ૦ ૭) માં પણ આ નામો આવે છે અને ક્રોનાથી કયો ગણ નીકળ્યો તે પણ ત્યાં જણાવેલું છે. ચતુર્દશપૂર્વધર ભગવાન ભદ્રબાહુસ્વામીના (વીરનિર્વાણુ સંવત્ ૧૭૦) સ્વર્ગવાસ પછી આ ગણો જુદા જુદા સમયે નીકળેલા છે. એટલે આ સૂત્ર પણ ગણધરથિત સ્થાનાંગમાં પાછળથી પ્રક્ષિપ્ત કરવામાં આવ્યું છે, એવું સંશોધકોનું મંતવ્ય છે. ૧૭ સમવાયાંગમાં (પૃ૦ ૪૬૩, સૂ૦ ૧૫૭) તે ન હારે ાં તે ન સમ નેતન્ત્ર નાવ ગળા સાવચા વિદ્યા વોચ્છિન્ના એવો પાઠ આવે છે. અહીં ति इहावसरे कल्पभाष्योक्तक्रमेण समवसरणवक्तव्यताऽध्येया, सा चादश्यकोक्ताया न व्यतिरिच्यते । વાવનાન્તરે તુ યુવળા જોહ્રમેળમિતિમ્। આ પ્રમાણે ટીકાકાર આ૦ શ્રી અભયદેવસૂરિજી મહારાજ વ્યાખ્યા કરતાં, સમવાયાંગસૂત્રમાં આવેલા વ્ શબ્દથી પમાય્ એવો અર્થ આપે છે અને વાચનાંતર પ્રમાણે વર્યુષળહ્ત્વ એમ જણાવે છે. અમે ટિપ્પણોમાં (પૃ૦ ૭૬૫) બૃહત્કલ્પભાષ્યમાં તથા પર્યુષાકલ્પમાં (કલ્પસૂત્રમાં) કેવો પાઠ મળે છે તે વિસ્તારથી જણાવ્યું છે.રે અહીં જે એ વાચનાઓનો ઉલ્લેખ ટીકાકાર કરે છે તેમાં એકમાં વિવક્ષિત કપભાષ્ય (બૃહત્કલ્પભાષ્ય)ના રચયિતા આ॰ શ્રી સંધદાસણિક્ષમાશ્રમણ છે અને તે દેવધિણિક્ષમાશ્રમણથી પણ પછી થયેલા છે, ખીજી વાચનામાં વિવક્ષિત પર્યુષણુાપ (કલ્પસૂત્ર) ચતુર્દશપૂર્વધર ભગવાન ભદ્રબાહુસ્વામીની કૃતિ છે. ભગવાન ભદ્રબાહુ સ્વામીનો સ્વર્ગવાસ વીરનિર્વાણુ સંવત્ ૧૭૦માં થયેલો છે. એટલે ગણધરભગવંતરચિત સમવાયાંગમાં આવાં સૂત્રો ન જ હોઈ શકે. એટલે કેટલાંક સૂત્રો સ્થાનાંગ તથા સમવાયાંગમાં પાછળથી કોઈક સમયે પ્રક્ષિપ્ત થયેલાં છે, એમ સંશોધકો માને છે. ળ વ્વસ્ત્ર સમોસરળ ફ્ક્ત સમોલરળ યન્ત્ર આવાં ખીજાં પણ કેટલાંક સૂત્રો પાછળથી પ્રક્ષિપ્ત થયાં સંભવે છે. આ વિષે વિદ્વાનોએ પોતપોતાની કલ્પના પ્રમાણે ભિન્ન ભિન્ન સ્થળોએ કલ્પના અને ચર્ચા કરી છે તે જોઈ લેવાની અમે ભલામણ કરીએ છીએ. કારણ કે સ્થાનાંગ—સમવાયાંગના આ પુસ્તકનું કદ એટલું બધું મોટું થઈ ગયું છે કે આ વિષે સંક્ષેપમાં જ નિર્દેશ કરવો અમને ચિત લાગે છે. આમ છતાંયે, તેવા પ્રકારનાં કોઈક સૂત્રોને બાદ કરતાં, બાકીના સ્થાનાંગ–સમવાયાંગની રચના ગણધર ભગવાને કરી છે એમાં કોઈ જ શંકા કે વિવાદને સ્થાન નથી. Jain Education International શૈલી—જૈન પ્રવચનમાં યત્ર તત્ર પથરાયેલા અનેક અનેક પદાર્થોનો એક પદાર્થો કયા છે? એ પદાર્થો કયા છેઃ ઇત્યાદિ રૂપે સંખ્યાદ્વારા સંગ્રહ કરવાનો આમાં ભવ્ય પ્રયત્ન કરવામાં આવેલો છે કે જેથી એક જ સૂત્ર દ્વારા દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ તથા ધર્મકથાનુયોગના અનેક ૧. કલ્પસૂત્રમાં આને માટે ઇડુવાડિયાળ તથા વેલવાડિયાળ એવો પાઠ આપેલી છે, ૨. અહીં એ વાચનાઓનું મિશ્રણ કરીને ટીકાકારે એક સૂત્ર બનાવ્યું હોય એમ અમને લાગે છે. કારણ કે સાષ્યમાં સમવસરણનું વણૅન છે, પણ તે નં વારે ાં વગેરે પાર્ડ નથી, જ્યારે પર્યેષણાકલ્પમાં તે Ō ાહે ળ વગેરે પાડ છે પણ તેમાં સમવસરણનું વર્ણન છે જ નહીં. ખે વાચનાઓનું મિશ્રણ કરીને એક પાડનું સંકલન નવસ્થાનમાં પણ આ॰ શ્રી અભયદેવસૂ રિછ મહારાજે કર્યું છે. જુઓ પૃ૦ ૩૪૧ ટિ૦ ૯. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001147
Book TitleThanangsuttam and Samvayangsuttam Part 3 Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages886
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, agam_sthanang, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy