SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૧, ૨ એમ જરૂર કહી શકાય કે માનવીને સાચો માનવી બનાવવા માટેનો પ્રયત્ન કરવાની અત્યારે જેટલી જરૂર છે, તેટલી કદાચ પહેલાં ભાગ્યે જ ઊભી થઈ હશે. આજે તો માનવીની ધાર્મિકતા તો દૂર રહી, એની નૈતિકતા પણ જોખમમાં મુકાઈ ગઈ છે. વિનોબાજીનો પુરુષાર્થ, આપણે ઇચ્છીએ તો, અનેક રીતે માર્ગદર્શક બની શકે. (તા. ૨૮-૫-૧૯૬૦ અને તા. ૪-૬-૧૯૬૦) (૨) વ્યવહારશુદ્ધિની ભારે આવશ્યકતા પૂ. મુનિવરોને વિનંતિ ૭૫ જીવનશુદ્ધિનું પ્રતિબિંબ અચૂક રીતે વ્યવહારશુદ્ધિ – જેમાં વેપારનો પણ સહજ ભાવે સમાવેશ થઈ જાય માં પડે જ છે. એટલે કે કોઈ પણ વ્યક્તિના વ્યવહાર ઉપરથી તેના જીવનની શુદ્ધિ કે અશુદ્ધિનો નિર્ણય કરવો સહેલો થઈ પડે છે. આજે દેશમાં – અને દુનિયામાં પણ ઘણુંખરે સ્થળે – વ્યવહારશુદ્ધિનો અભાવ વ્યાપકપણે નજરે પડે છે. જ્યાં જુઓ ત્યાં લાંચ-રુશ્વત, જૂઠ, ઘાલમેલ વગેરે ઊંડાં મૂળ ઘાલતાં દેખાય છે. આ બધી અશુદ્ધિઓ કે બધા દુર્ગુણોનું મૂળ, પૈસાને મધ્યમાં રાખીને તેની આસપાસ બધાં ફેરફૂદડી ફર્યાં કરે છે અને સર્વે મુળા: ગ્વનમાશ્રયન્તનો ગરબો ગાયા કરે છે એ મહાવિકૃતિ જ છે. એટલે જ્યારે પણ આ બધા રાવણરૂપ થઈ બેઠેલા દુર્ગુણોને નાથવા હશે, ત્યારે એ બધાના મૂળ ઉગમસ્થાનરૂપ વિકૃત બની ગયેલા અર્થશાસ્ત્રની જ શુદ્ધિ કવાનું કામ હાથ ધરવું પડશે. અમને લાગે છે કે અર્થશુદ્ધિના કાર્યની જેટલી જરૂર અત્યારે ભાસે છે એટલી આજ પહેલાંના સમયમાં ભાગ્યે જ ભાસી હશે. અમે તા. ૧૬-૪-૧૯૫૦ના ‘હરિજનબંધુ'માં પ્રગટ થયેલો શ્રી કેદારનાથજીનો વ્યવહારશુદ્ધિનો સંદેશો' આ શીર્ષકનો લેખ, જે વ્યવહારશુદ્ધિ-મંડળ : તેનાં ઉદ્દેશ અને કાર્ય’ એ મથાળા નીચે આજના અંકમાં અન્યત્ર પ્રગટ કરેલ છે તે તરફ સહુ કોઈનું ધ્યાન દોરીએ છીએ. શ્રી કેદારનાથજી (‘નાથજી’) જીવનશુદ્ધિના ઉપાસક અને અટપટા લાગતા પ્રશ્નને વ્યવહારુ અને સરળ રીતે રજૂ કરવાની કળા જાણનારા ચિંતક છે. તેમણે ૨જૂ કરેલ વ્યવહારશુદ્ધિમંડળની યોજના આજના યુગમાં ઠેરઠેર ભાસી રહેલી આવશ્યકતાને પૂરનારી એક વ્યવહારુ, સરળ અને ખૂબ ગમી જાય એવી યોજના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy