SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧ ૭૩ એટલામાં એક બકરીના બચ્ચાનો બેંકારો સંભળાયો. પળવારમાં ફરી એ અવાજ સૌને કાને આવ્યો. અવાજ જાણે દીન આઝંદથી ભર્યો હતો. ઝડપથી માર્ગ કાપતી બસે ત્રીજી વાર એ અવાજ સાંભળ્યો. મુસાફરો પૈકી કોઈક વાતમાં અને કોઈક વિચારમાં મશગૂલ હતા; તો કોઈ વળી તંદ્રામાં પડ્યા હતા. એમણે તો એ અવાજને સાંભળ્યો-ન સાંભળ્યો કર્યો. ત્યાં ડ્રાઇવરે બસની ગતિ ધીમી પાડી, અને કંડકટરને કહ્યું: “અરે, જરા જો તો ખરો; બિચારું બકરીનું બચ્ચું વગડામાં ભૂલું પડી ગયું લાગે છે, કાં તો એના ટોળામાંથી જુદું પડી ગયું હશે.” - કંડક્ટર સાંભળી રહ્યો. ડ્રાઇવરે આગળ ચલાવ્યું: આ વગડામાં કોઈ જાનવર એને ફાડી ખાશે.” કેટક્ટરે પૂછ્યું: “તો શું કરીશું?” ડ્રાઈવરે બસ થોભાવી અને કહ્યું: “તું નીચે ઊતર અને એને ઉપાડીને બસમાં લઈ લે, અને આગળ ગામ આવે ત્યાં એને મૂકી દેજે. ગામમાં પહોંચી ગયું એટલે એ સલામત બની જશે; નહીં તો એ જીવતું નહીં રહે.” પછી ડ્રાઇવરે બસ થોડીક પાછી લીધી. બકરીના બચ્ચાનો અવાજ ફરી સંભળાયો. કંડકટર હેઠે ઊતર્યો અને બચ્ચાને પકડીને, મા બાળકનું જતન કરે એમ સાચવીને, અંદર લઈ આવ્યો. થોડી વારમાં એક ગામ આવ્યું. ત્યાં કંડક્ટરે એ બચ્ચાને સાચવીને નીચે ઉતારી દીધું અને ત્યાં જે ઊભા હતા એમને એ બચ્ચાને સાચવીને લઈ જવાની ભલામણ કરી, અને બસે પાછી પોતાની મજલ કાપવી શરૂ કરી. ડ્રાઇવર અને કંડક્ટર બંને માંસાહારી; અને પોતાના ખોરાક માટે બકરો હલાલ થાય, એમાં એમને વાંધો પણ નહીં – આપણે સૌ એમને એ રીતે જ પિછાણીએ. એમાં એક બકરીના બચ્ચા માટેની એમની આવી દયાળુ વૃત્તિ જોઈને મન કંઈક જુદી જ દિશામાં વિચાર કરવા લાગે છે, આવા પ્રસંગો મનને એમ માનવા પ્રેરે છે કે અહિંસા, દયા અને કરુણાની જ્યોત તો ઘટઘટમાં સમાયેલી છે : કોઈકમાં એ તેજના અંબાર વેરતી અને વિશ્વને અજવાળતી ઝળહળી ઊઠે છે, તો કોઈકમાં એ પ્રચ્છન્નરૂપે રહેલી હોય છે. હૃદય જ્યારે પણ જાગે છે, ત્યારે એ કરુણાને જ ઝંખે છે અને અહિંસારૂપી ખોરાક જ એને ભાવે છે. - આપણા ધર્મપુરુષોએ વિશ્વના સમસ્ત જીવો સાથે મૈત્રી કેળવવાની ઉદ્ઘોષણા કરી છે, તેની આધારશિલા દરેક વ્યક્તિના હૃદયમાં છુપાયેલી આ મહાકરુણાવૃત્તિ બાબતની કે સવૃત્તિ બાબતની ખાતરી જ છે. મહાકરૂણા અંગેની આ આસ્થા જ ધર્મનો આધારસ્તંભ છે; એને વ્યક્તિના અને સમષ્ટિના જીવનમાં સાકાર કરવી એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy