SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલના આજે આપણા ધર્મગુરુઓની જે રીતની પ્રવૃત્તિનો ચારેકોર વેગપૂર્વક વિકાસ થઈ રહ્યો છે, તે જોતાં આ વાતનો સ્વીકાર કર્યા વગર ચાલે એમ નથી. આનું દુષ્પરિણામ એ આવ્યું છે, કે એક બાજુ ધર્મ ધનના વિષમ ત્રાજવે તોળાવા લાગ્યો છે, તો બીજી બાજુ કીર્તિની કામનાનો વેગ વધી જવાને કારણે સમાજમાં ખુશામત, એકની નકામી સ્તુતિ અને બીજાની નિંદા કરવાની પ્રવૃત્તિ અને વાહવાહ સાંભળવાની તુચ્છ વૃત્તિનો વધારો થવા લાગ્યો છે. ખરી વાત તો એ હોવી જોઈએ કે ધન ધર્મને દ્વારે પોતાનું મૂક સમર્પણ કરીને કૃતાર્થ બનવું જોઈએ; એના બદલે અત્યારે ધનને મેળવીને ધર્મ કૃતાર્થ થયાનું આપણે માનવા લાગ્યા છીએ, જાહેર કરવા લાગ્યા છીએ !! અને જ્યાં ધર્મગુરુઓમાં, અને એમને જોઈને સમાજમાં સંપત્તિ અને કીર્તિની આવી હોડ જામી હોય, ત્યાં લક્ષ્મીની અસારતા અને ધર્મની મહત્તાનાં સતત ચાલ્યા કરતાં વ્યાખ્યાનો કેવળ પોપટના રામનામરટણ જેવાં અર્થહીન કે પાણીના પરપોટા જેવાં અલ્પજીવી લાગે એમાં નવાઈ શી? આજે તો આની સામે અવાજ ઉઠાવનારો પણ અળખામણો કે પાગલ લેખાઈ જાય, એટલી હદે આપણા ધર્મગુરુઓ બીજી દિશા તરફ વળી ગયા છે. પણ જો વ્યક્તિ, સમાજ અને દેશનું ભલું કરવું હશે તો ચિત્તશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ જેવા ધર્મના મુખ્ય કાર્ય તરફ મુખ કર્યા વગર આપણો છૂટકો નથી. નહીં તો ઊંધી દિશામાં ચાલનારની જેમ, આપણે ધર્મભાવનાથી દૂર ને દૂર જ જઈશું. * * * ધર્મપાલન અને ધર્મપ્રચારની આધારશિલા શું હોઈ શકે એ દૃષ્ટિએ ધર્મગુરુઓના કર્તવ્યનો વિચાર કરવા જેવો છે. આ બાબતમાં સંત વિનોબાજીની પ્રવૃત્તિ આપણને ઘણું માર્ગદર્શન કરી શકે એમ છે. અમારે અત્રે જે કંઈ કહેવું છે, તેની શરૂઆતમાં એક નાનોસરખો કથાપ્રસંગ આપવો ઉચિત લાગે છે: ઉનાળાનો લાંબો દિવસ પૂરો થવા આવ્યો હતો અને સૂર્ય આથમી ગયો હતો. ચારેકોર ચંદ્રમાનાં તેજ પથરાવા લાગ્યાં હતાં. એક મોટી ભાડૂતી બસ ઝડપથી વગડો વીંધતી આગળ વધતી હતી. ચારે કોરના સૂનકારમાં ખખડાટ કરતી બસનો અવાજ પડઘા પાડતો હતો. વચમાં આવતાં ગામડાનાં પાદરે બે-પાંચ મિનિટ થોભતી બસ જાણે પોતાના સ્થાને પહોંચી જવા માટે અધીરી બની ગઈ હતી. | ડ્રાઈવર મુસલમાન હતો. એનો કંડકટર પણ મુસલમાન હતો. બસ પૂરપાટ દોડી રહી હતી, અને અંદર મુસાફરો વાતે વળગ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy