SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ જિનમાર્ગનું અનુશીલન હોય તે જ આવા કઠોર માર્ગે જવાનો વિચાર કરી શકે. એટલે એને આપઘાત કહેવો તે મૂળ વસ્તુને ન સમજવા જેવું જ ગણાય. શ્રી રતનશીભાઈ તો ક્યારના કાળધર્મ પામ્યા છે. એટલે એમને તો કોરોનરના આ પગલાની કશી અસર થવાની નથી; અને એમના પુત્ર કે પ્રમાણપત્ર આપનાર દાક્તરની સામે કોરોનર શ્રી મલકાણીએ જે નોટિસો કાઢી છે એની પણ કંઈ વિશેષ ચિંતા કરવા જેવી નથી. પણ આમાં મુખ્ય ચિંતા “ડોશી મરે તેની નહીં, પણ જમ ઘર જોઈ જાય' એની છે. જો શ્રી મલકાણીજીનો સંથારાને આપઘાત લેખાવવાનો અભિપ્રાય કાયદાની દૃષ્ટિએ માન્ય થઈ જાય તો જૈનધર્મની એક મૌલિક સાધના ઉપર તરાપ જ આવી પડે. આમ ન થાય એટલા માટે જ શ્રી મલકાણીજીના અભિપ્રાયનો યોગ્ય ઉત્તર આપવો આપણા માટે જરૂરી થઈ પડે છે. જો શ્રી મલકાણીજીનો આ અભિપ્રાય માન્ય રહે, તો સામાજિક, રાજકીય કે એવા કોઈ પણ પ્રશ્નને લઈને જે વ્યક્તિ આમરણ ઉપવાસ આદરે, એની સામે આપઘાતની ૩૦૯મી કલમ મુજબ કામ ચલાવવું સરકારને માટે અનિવાર્ય થઈ પડે. પણ વસ્તુસ્થિતિ આવી નથી; તેમાં ય જૈનધર્મના સંલેખન-વ્રતની વાત તો સાવ નિરાળી છે. એમાં સતત આત્માની જાગૃતિ કામ કરતી હોય છે. આમ છતાં જેઓ આપઘાત અને સંથારા વચ્ચેનો ફરક ન સમજી શકતા હોય, એમની વિચારણા માટે એક છેલ્લી વાત રજૂ કરીએ છીએ. ન્યાયમંદિરે ફાંસીની સજા ફરમાવેલ ગુનેગારને ફાંસી આપનાર જલ્લાદ ગુનેગારનો જીવ લેવા માટેની જ કામગીરી બજાવે છે, છતાં એને ખૂની લેખવામાં આવતો નથી; એવી જ આ વાત છે. કોઈ પણ જાતના આવેશને વશ થયા વગર સમભાવ અને સમજણ સાથે પોતાનો દેહ વિસર્જિત કરવા માટે સંથારો સ્વીકારનાર વ્યક્તિના વિરલ પુરુષાર્થને આપઘાતનો પ્રયત્ન ગણવો અને એના કાળધર્મને આપઘાત તરીકે ઓળખાવવો એ જલ્લાદને ખૂની ગણીને એની સામે કામ ચલાવવા જેવી ભૂલ છે. ઇચ્છીએ કે કોરોનરશ્રી કે બીજાઓ આ ભૂલ સત્વર સમજે અને સંથારાનો સાચો મહિમા પિછાણે. (તો, ૧૪-૭-૧૯૬ ૨) મુનિશ્રી સુપાર્થસાગરજીની સંલેખના દિગંબર જૈન સંઘના મુનિવર્ય શ્રી સુપાર્શ્વસાગરજી મહારાજે અંતિમ સંલેખના (મારણાંતિક સંલેખના કે યમસંલેખના)ની આરાધના કરીને, તા. ૧૪-૯-૧૯૬ ૭ના રોજ ઉદેપુરમાં, ૭૫ વર્ષની ઉંમરે, સમાધિમરણ પ્રાપ્ત કર્યું એ પ્રસંગને બે મહિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy