SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૨૩ (૨૩) સંથારો તે આપઘાત ?? એક વિચારણીય પ્રશ્ન મુંબઈની કૉરોનરની કોર્ટના કોરોનર શ્રી મલકાણીએ, ખાસ કરીને જેનોને ચિંતા ઉપજાવે એવો એક મુદ્દો ઉઠાવ્યો છે : સંથારો એ કુદરતી મૃત્યુ નથી, પણ એ બિનકુદરતી મૃત્યુ છે, અને તેથી એ આપઘાત ગણાય, અને એટલા માટે એવો સંથારો કરનાર આપઘાતની કોશિશ કરવાના ગુનાને પાત્ર ગણાય, તેમ જ એમાં સહાય કરનાર પણ એવા ગુનાના સહાયક તરીકે દોષપાત્ર લેખાય. આ મુદ્દો ઊભો થવાનું કારણ ટૂંકમાં આ પ્રમાણે છે : ગયા ફેબ્રુઆરી માસની ૧૬મી તારીખથી, મુંબઈમાં ચીંચબંદર સ્થાને શ્રી રતનશી શામજી નામના એક કચ્છી સ્થાનકવાસી ભાઈએ ધર્મારાધનપૂર્વક પોતાની કાયાનું વિસર્જન કરવાના ઉદ્દેશથી સંથારાનો સ્વીકાર કર્યો અને ૭૫ દિવસના ઉપવાસ બાદ એમનો સ્વર્ગવાસ થયો. શ્રી રતનશીભાઈએ સંથારાનો સ્વીકાર કરીને ૭૫ દિવસ જેટલા લાંબા સમયને અંતે પોતાનો દેહ તજ્યો. એટલા સુદીર્ઘ સમય દરમિયાન મુંબઈના કોરોનરે, અથવા તો જેમને આવું પગલું ભરવાનો કાયદેસરનો અધિકાર હોય એવી હાઈકોર્ટ કે કોઈ પોલિસ-ખાતાએ શ્રી રતનશીભાઈની સામે, આપઘાતની કોશિશને ગુનો ઠેરવતી ઇન્ડિયન પીનલ કોડની ૩૦૯મી કલમ મુજબ, કોઈ પણ જાતનું કાયદેસરનું પગલું ન ભર્યું. સંભવ છે કે હિંસાથી કે અકસ્માતથી માનવીનું મૃત્યુ ન થાય ત્યાં સુધી વચ્ચે પડવાની કાયદેસરની સત્તા કોરોનરને નહીં હોય; પણ લાગતી-વળગતી કોર્ટને કે પોલિસ ખાતાને તો પીનલ કોડની કલમનો ભંગ થતો અટકાવવાની અને ભંગ થયો હોય તો એની સામે કાયદેસરનાં પગલાં ભરવાની સત્તા અને જવાબદારી હોય જ. અને શ્રી રતનશીભાઈનો સંથારો (કોરોનરના કહેવા મુજબ બિનકુદરતી મૃત્યુ કે આપઘાતનો પ્રયત્ન) તો ખાસો અઢી મહિના ચાલ્યો હતો, છતાં એમના આ પગલાની સામે કોઈએ કશું જ પગલું ન ભર્યું, અને અઢી મહિનાના સુદીર્ઘ અનશનને અંતે તેઓએ સમાધિપૂર્વક દેહ તજ્યો અને જૈનોએ ધર્મોત્સવપૂર્વક એમનો અંતિમ સંસ્કાર કર્યો. આ પછી કોરોનર શ્રી મલકાણીએ શ્રી રતનશીભાઈના પુત્રો ઉપર તેમ જ રતનશીભાઈનું મૃત્યુ ધાર્મિક વિધિથી થયું છે એવું પ્રમાણપત્ર આપનાર દાક્તર પર નોટિસો કાઢીને એમને જણાવ્યું છે કે એમનું આ કૃત્ય બિનકાયદેસર હતું ! મરનાર વ્યક્તિનો દેહ અગ્નિદાહ દ્વારા સંપૂર્ણ વિલય પામી ગયા પછી કૉરોનર તરીકેનો હોદ્દો ધરાવનાર વ્યક્તિ બીજાઓ ઉપર આવી નોટિસો કાઢી શકે કે કેમ? - એવો સવાલ સહેજે મનમાં ઊઠે છે. કોરોનરનું કામ તો હિંસા કે અકસ્માતથી મૃત્યુ પામેલ વ્યક્તિના શરીરની તપાસ કરીને, કયા કારણથી એનું મૃત્યુ થયું હતું એ નક્કી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy