SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન “આચાર્ય – શું સૈનિકોમાં પણ એનો પ્રચાર છે ? “કબાયસી – હા, સૈનિકોમાં પણ એનો પ્રસાર છે. પણ એનું ધ્યેય કેવળ એમનામાં એકાગ્રતા આવે એટલું જ છે. પહાડોમાં મંદિરો હોય છે, જ્યાં સાધનાનો ક્રમ ચાલતો હોય છે. સાધનાકાળમાં રોજ સવારે પહેલાં પદ્માસનથી ધ્યાન કરવામાં આવે છે. તે પછી નાસ્તો લેવામાં આવે છે. મંદિરના ભિક્ષુઓ આ અંગે પ્રવચન આપે છે. છેલ્લાં બે વર્ષ દરમિયાન ધ્યાન-સંપ્રદાયનો ખૂબ ફેલાવો થયો. જે વિદ્યાર્થીઓ પોતાનું ભણતર પૂરું કરીને નોકરીમાં જોડાય છે, એમને એનો (ધ્યાનનો) એક અભ્યાસક્રમ પૂરો કરવો પડે છે. આ બાબત ત્યાં ફરજિયાત છે. ખાનગી કંપનીવાળાઓ આવા લોકોને દૂર-દૂર પહાડો અને મંદિરોમાં મોકલવાની ગોઠવણ કરે છે, એમને કુટુંબથી દૂર રાખે છે અને આના શિક્ષણ પછી જ એમને કામે લગાડે છે.” આ રીતે જાપાનના ધ્યાન અંગે કેટલીક વિગતો અને વાતો રજૂ કર્યા પછી ભારતમાં ધ્યાન અંગેની વર્તમાન સ્થિતિ અંગે ટકોર કરતાં શ્રી કબાયસીએ કહ્યું : મારે આપને એક વાત કહેવી છે; એને આપ ખોટી રીતે ન વિચારશો. મેં મારા અનુભવને આધારે જાયું છે કે પહેલાં ભારતમાં ધ્યાન વગેરેનું પ્રત્યક્ષ જ્ઞાન હતું, પણ હવે અહીં એ સંબંધી વાતો જ વધારે થાય છે. આવી વાતોના બદલે જો ધ્યાનની પ્રવૃત્તિને વેગ આપવામાં આવે તો શક્તિનો વિકાસ થઈ શકે.” આ વાતનો સ્વીકાર કરતાં તુલસી-ગણીજીએ કહ્યું : તમારું કહેવું સારું છે. ભારતવાસીઓમાં ધ્યાનની પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ છે. પણ હવે એવી હવા પેદા થઈ રહી છે કે જેને લીધે એ પ્રવૃત્તિમાં ક્રમે-ક્રમે વધારો થશે.” (તા. ૨૦-૧૧-૧૯૬૫) ધ્યાનયોગ અંગે એક સ્વીકારવા જેવી માંગણી - વિજ્ઞાનની આગળ વધતી શોધો, યંત્રયુગનો વિસ્તાર, સતત વધી રહેલી ઝડપ, બેમર્યાદ બની રહેલી અર્થલોલુપતા વગેરે કારણોને લીધે આજે આપણા દેશમાં અને દુનિયાના સંખ્યાબંધ દેશોમાં જે બેચેની, અશાંતિ અને બિનસલામતી વધતી જાય છે, તેને લીધે સુખી-સમૃદ્ધિશાળી તેમ જ દીન-દુ:ખી બંને માનવસમૂહોને એક યા બીજા પ્રકારના તાણમાં જ સતત જીવવું પડે એવી વિચિત્ર-વિલક્ષણ સ્થિતિ ઊભી થઈ ગઈ છે. આને લીધે દુનિયાભરના તત્ત્વવેત્તા, સમાજહિતચિંતકો અને વિચારકો ઘેરી ચિંતામાં પડી ગયા છે. માનવજાતિ વિશ્વમાં પ્રવર્તતી આવી અસહ્ય અકળામણમાંથી ઊગરવાનો માર્ગ અને તેના દ્વારા ચિત્તશાંતિ ઝંખવા લાગી છે, અને એ દિશામાં ભલે આછા-પાતળા પણ કંઈક ને કંઈક પ્રયત્ન કરવાની દિશામાં વળી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy