SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદૃષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૨૨ અમારે આપણા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘને ભારપૂર્વક એ કહેવું છે કે પોતાના આંતરિક દોષોના નિરીક્ષણ દ્વારા ચિત્તની અને છેવટે આત્માની શુદ્ધિને પ્રાપ્ત કરવાના ધ્યાનસાધનાના રાજમાર્ગની ઉપેક્ષા કરીને આપણા સંઘે અત્યાર સુધીમાં પારાવાર નુકસાન વેઠ્યું છે, નજીવા-નમાલા પ્રશ્નોની ભુલભુલામણીમાં અટવાઈ જઈને શ્રીસંઘને ક્લેશ-કંકાસના દાવાનળનો ભોગ બનાવી દીધો છે અને શ્રમણસંસ્કૃતિના રાગ-દ્વેષની મુક્તિના મોક્ષલક્ષી ધર્મ-માર્ગને ચૂકીને આપણે અંગત ઈર્ષ્યા-અસૂયાના ઊંડા કીચડમાં ખૂંપી ગયા છીએ. વળી, સામાયિક-પ્રતિક્રમણની તથા પ્રાયશ્ચિત્તની ભાવના પણ ધ્યાનસાધના વગર જીવન સાથે એકરૂપ બની શકતી નથી. સૌ દર્દની એક રામબાણ દવાની જેમ, આ બધા માટેનો મુખ્ય ઉપાય નિત્યની ધર્મક્રિયાઓમાં ધ્યાનસાધનાને યોગ્ય સ્થાન આપવું એ જ છે. એના વગ૨ જિનેશ્વરની પ્રતિમાની સ્તુતિ-ભક્તિ-પૂજાનો મહિમા પણ આપણે સ્થાપિત કરી શકવાના નથી અને એને ચિરતાર્થ કરીને આપણા જીવન અને વ્યવહા૨ને વિશુદ્ધ અને ઉચ્ચાશયી પણ બનાવી શકવાના નથી. એટલે, અમારાં ધર્મશાસ્ત્રોમાં આ બધી જ બાબતો સંગ્રહાયેલી છે, તેથી બીજેથી એને શોધવાસ્વીકા૨વાની જરૂ૨ નથી' એવા નિષ્ક્રિય મિથ્યા-અભિમાનમાં રાચવાને બદલે, સ્વ-૫૨ ધર્મશાસ્ત્રોનો તેમ જ એ વિષયના પ્રત્યક્ષ અનુભવીઓના અનુભવજ્ઞાનનો ઉદારતાથી સહારો લઈને, જે રીતે બની શકે એ રીતે, ધ્યાનસાધનાના ભુલાઈ ગયેલા માર્ગને સજીવન ક૨વાનો સમર્થ પુરુષાર્થ કરવા આપણે સજ્જ થઈએ એ અમારા આ કથનનો સાર છે. આપણે યોગમાં પછાત : એક જાપાનીઝ ચિંતકનો મત તા. ૨૭-૭-૧૯૬૫ના રોજ દિલ્હીમાં જાપાની એલચીકચેરીના પ્રથમ કૌસિલર શ્રી હરુસા કબાયસીએ તેરાપંથના આચાર્ય શ્રી તુલસી ગણીની મુલાકાત લીધી તે વખતે એમણે જાપાન અને હિન્દમાંની ધ્યાનને લગતી પ્રવૃત્તિ અંગે કેટલીક વાતચીત કરી હતી. એમાંની કેટલીક બાબતો, ખાસ કરીને આપણા દેશની ધ્યાનસાધનામાં આવેલી ઢીલાશ અંગેનું મંતવ્ય આપણે જાણવા જેવાં હોવાથી, ઉપયોગી અંશ નીચે રજૂ કરીએ છીએ : Jain Education International ЧС “આચાર્ય શ્રી શું જાપાનમાં ધ્યાન-સંપ્રદાય' ચાલે છે ? કબાયસી – જ્યારે હું છોકરો હતો ત્યારે મેં ધ્યાન’-સંપ્રદાયમાં સાધના કરી હતી. પહાડોમાં રહીને ગળામાં કોથળા જેવી કોઈ વસ્તુ નાખીને આ સાધના કરવામાં આવે છે. ધ્યાન-સંપ્રદાય'નો પ્રચાર લાખો લોકોમાં છે; તે એટલે સુધી કે વિદ્યાર્થીઓમાં પણ એ પ્રચલિત છે. -- (તા. ૨૮-૨-૧૯૭૬ ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy