SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ જિનમાર્ગનું અનુશીલન આ સાધનાનું કેન્દ્ર એટલે ધ્યાનસાધનાની પ્રવૃત્તિને વેગ અને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિ. તેરાપંથી સંઘનાં સાધુ-સાધ્વીઓ, આમ તો, કેટલાંક વર્ષ પહેલાંથી જ ધ્યાનમાર્ગની સાધના તરફ વળ્યાં છે અને એ દિશામાં નોંધપાત્ર પ્રયાસ કરી રહ્યાં છે. પણ લાડનું શહેરમાં સ્થપાયેલ જૈન વિશ્વભારતી'માં એની શરૂઆત, તુલસી અધ્યાત્મનીડ' નામે સાધના-કેન્દ્રમાં, તા. ૨૬-૧૨-૧૯૭૫ના રોજ કરવામાં આવી એમ તેરાપંથી મહાસભાના કલકત્તાથી પ્રગટ થતા મુખપત્ર જેનભારતી'ના તા. ૧૬-૧૧૯૭૬ના અંક ઉપરથી જાણી શકાય છે. આ પ્રસંગે બોલતાં મુનિ શ્રી મહેન્દ્રકુમારજીએ સાચું જ કહ્યું હતું કે – શ્રાવકો અને સાધુઓ અણુવ્રત અને મહાવ્રતની દીક્ષાનો સ્વીકાર કરે છે ત્યારથી જ એમની સાધના શરૂ થઈ જાય છે, પરંતુ એ સાધનાનું ઊંડાણ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે કે જ્યારે ધ્યાન વગેરે યૌગિક ક્રિયાઓનો નિયમિત અભ્યાસ કરવામાં આવે. યોગસાધનાના અભ્યાસથી સાધક પોતાના મનને એટલું સાધી લે કે જેથી જીવનમાં પ્રવૃત્તિ કરવા છતાં ય એ આત્મસાધનામાં લીન રહી શકે. એની દરેક ક્રિયા અક્રિયાના ભાવથી પ્રભાવિત હોય .” મુનિ શ્રી નથમલજીએ સાધનામાં સમર્પણભાવનો મહિમા આમ સમજાવ્યો : “સાધનાને માટે સમર્પણની જરૂર છે. જે વ્યક્તિ આત્માને (આત્મભાવને) સર્વથા સમર્પિત થાય છે, એ જ સાધનાનાં ઊંચામાં ઊંચાં શિખરોને સ્પર્શી શકે છે. જ્યાં આવો સમર્પણભાવ હોય છે, ત્યાં સાધક પોતાના શરીર પ્રત્યે કે બાહ્ય મૂલ્યો પ્રત્યે બિલકુલ નિરપેક્ષ થઈ જાય છે. પરંતુ જ્યાં સ્વાગત, સન્માન વગેરેની ઇચ્છા ટકી રહી હોય છે, ત્યાં સાધના નિષ્ફળ થઈ જાય છે. જે સાધક પોતે સ્વીકારેલ માર્ગ માટે “આ સત્ય છે, અનુત્તર છે, અપૂર્વ છે' એવી શ્રદ્ધા ધરાવે છે, એ ક્યારેય ભ્રમમાં પડતો નથી. જે સાધક પોતાના આત્માને સમર્પિત થઈ જાય છે, એ બાકીનાં બધાં આકર્ષણોને દૂર કરી દે છે.” આની સાથોસાથ તેરાપંથી જૈનસંઘ શ્રી સત્યનારાયણજી ગોયન્કા દ્વારા સંચાલિત વિપશ્યના-ધ્યાન-પદ્ધતિના શિબિરોનો કેવા ઉમંગપૂર્વક લાભ લે છે, એ અંગેના સમાચાર પણ ઉત્સાપ્રેરક બની રહે એવા છે. આ બધી માહિતી ઉપરથી જોઈ શકાય છે કે આત્મસાધનામાં ધ્યાનસાધનાનું ઘણું બધું મહત્ત્વ છે એ સમજીને એ દિશામાં નવપ્રસ્થાન કરવાના કેવા પ્રયત્નો, મોટા પાયા ઉપર, તેરાપંથી જૈનસંઘે હાથ ધર્યા છે ! જૈનસંઘના એક ફિરકાએ. મોડેમોડે પણ. જેનસાધનાના આ પાયાના માર્ગનું અનુસરણ કરવાનો જે ધર્મપુરુષાર્થ આદર્યો છે, તે અંગે અમે અમારી ખુશાલી દર્શાવીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy