SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદૃષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૨૨ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં ધ્યાનસાધનાનો માર્ગ સારા પ્રમાણમાં વીસરાઈ ગયો છે એ એક હકીકત છે – જાણે સામાયિકનો મહિમા વર્ણવતાં ચારેય નહીં થાકનારા આપણે ખુદ સામાયિકના પાયારૂપ ભાવને જ વીસરી બેઠા છીએ ! અલબત્ત, આમાં અપવાદરૂપ ગણી શકાય એવા કેટલાક મુનિવરો (તેમ જ ગણ્યાગાંઠ્યા શ્રાવકો પણ) ધ્યાનમાર્ગની સાધના તરફ વળેલા છે ખરા, પણ એમનું પ્રમાણ એટલું ઓછું છે કે જેથી શ્રીસંઘમાં વારે-વારે ગાડવામાં આવતા વૈર-વિરોધ અને ક્લેશ-દ્વેષના હુતાશનને ઠારવામાં એ ભાગ્યે જ સફ્ળ થઈ શકે છે. પણ આ બાબતમાં સ્થાનકમાર્ગી સંઘની અને વિશેષે કરીને તેરાપંથી જૈનસંઘની સ્થિતિ કંઈક જુદી અને સંતોષકારક છે. સ્થાનકમાર્ગી સંઘના સંતો અને મહાસતીઓ (સાધુઓ અને સાધ્વીજીઓ) નોંધપાત્ર કહી શકાય એટલી સંખ્યામાં ધ્યાનસાધનાની દિશામાં દત્તચિત્ત બન્યાં છે એ રાજી થવા જેવી વાત છે. આ દિશામાં પ્રગતિ સાધી શકાય એ માટે કેટલાંક સાધુસાધ્વીઓ ગુરુગમથી માર્ગ જાણીને કે આપમેળે પ્રયત્ન કરી રહ્યાં છે; એ ઉપરાંત તેઓ સ્વનામધન્ય શ્રી સત્યનારાયણજી ગોયન્કા દ્વારા અવાર-નવાર યોજવામાં આવતા વિપશ્યના-ધ્યાન-શિબિરોનો પણ સારા પ્રમાણમાં લાભ લેવા લાગ્યાં છે. આ માટે એમણે હંસના જેવી ગુણગ્રાહક વૃત્તિ કેળવી છે તે ખૂબ પ્રશંસનીય છે. આથી એમને તથા એમના સંઘને બંનેને ઘણો સ્થાયી લાભ થવાનો છે એ ચોક્કસ છે. ધ્યાનસાધનાની ક્રિયાને જૈનસંઘમાં પુનર્જીવિત અને પ્રચલિત કરવાના તેરાપંથી જૈનસંઘના વિચારો અને પ્રયત્નો વ્યવસ્થિત અને પરિણામલક્ષી છે એમ કહેવું જોઈએ. તેરાપંથી સાધુ-સંઘની સાધનાના દરરોજના કાર્યક્રમમાં એને પદ્ધતિસરનું સ્થાન આપવામાં આવ્યું છે અને ચિત્તને ધ્યાનસ્થ કરવાના જે ઉપાયો આપણાં ધર્મશાસ્ત્રોમાંથી કે જે કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી મળી શકે એમ હોય તેને મુક્ત મને મેળવવાની પ્રે૨ણા એ સંઘના આચાર્ય શ્રી તુલસીજી તથા એમના ધ્યાનાભ્યાસી અને તત્ત્વચિંતક મુખ્ય શિષ્ય શ્રી નથમલજી ત૨ફથી આપવામાં આવે છે, તેથી એ સંઘને સારો એવો લાભ થયો છે અને હજી પણ વિશેષ લાભ થવાની શક્યતા છે. ૫૭ ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણ-વર્ષ જેવા અપૂર્વ અવસ૨માંથી પ્રેરણા લઈને જેમ સ્થાનકવાસી સંઘે, કવિવર ઉપાધ્યાય શ્રી અમરમુનિજી મહારાજની પ્રેરણાથી, રાજગૃહીમાં, વીરાયતનની મોટી યોજના શરૂ કરી છે, તે રીતે તેરાપંથી સંઘે, આચાર્ય તુલસીજીના માર્ગદર્શન પ્રમાણે, રાજસ્થાનમાં લાડનું શહેરમાં જૈન વિશ્વભારતી' નામે સંસ્થા શરૂ કરી છે. આ સંસ્થા દ્વારા ચાર પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે : (૧) શિક્ષણ-કાર્ય, (૨) સંશોધનનું કામ, (૩) સેવાનાં કાર્યો અને (૪) સાધનાનું કેન્દ્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy