SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદષ્ટિ, ગુણવિંકોસામસામાવલા ૫૧ જીવનસ્પર્શી ભક્તિ કરવાને માર્ગે દોરી શકીએ. બાકી તો એક બાજુ આવી ઉપરછલ્લી ઘેલી ભક્તિ ચાલતી રહે અને બીજી બાજુ ધર્મભાવના વગરનો જીવનવ્યહાર ચાલ્યા કરે ! વળી, વીતરાગપ્રભુની ખાલી પૂજા-ભક્તિ કરતાં એમની આજ્ઞાનું પાલન ચડી જાય છે એ વાત તો ખુદ આપણા શાસ્ત્રમાં પણ કહેવામાં આવી છે. આનો અર્થ કોઈ એવો ન કરે કે પ્રભુની આજ્ઞાના પાલનના બહાને પ્રભુની પૂજા-ભક્તિને છોડી દેવામાં આવે; એનો ભાવ એ છે કે જો વિવેકપૂર્વક ભક્તિ કરવામાં આવે તો પ્રભુની આજ્ઞાનું પાલન કરવાની ઉત્કંઠા અને શક્તિ આપમેળે જ જાગે. વીતરાગ પ્રભુની સૌથી મોટી આજ્ઞા તો વિશ્વના સમસ્ત જીવો સાથે મૈત્રી કેળવવાની અને કોઈની સાથે વેર કે દ્વેષ નહીં રાખવાની છે. એટલે પ્રભુભક્તિ કરતાં-કરતાં, તેમ જ કર્યા પછી પણ ભક્ત એ વાતનો સતત વિચાર કરવાનો છે કે પ્રભુની ભક્તિને પરિણામે મારામાં વિશ્વમૈત્રીની ભાવનાને ખીલવનારા અહિંસા, કરુણા, સત્યપ્રિયતા જેવા ગુણો પ્રગટે છે ખરા? ભક્તિની સફળતાની આ પણ એક કસોટી છે. આવી જ બીજી કસોટી છે ભક્તિને પરિણામે દાન, શીલ, તપ અને ભાવ પ્રત્યેની ખીલતી અભિરૂચિ. આવી તો બીજી પણ અનેક બાબતો ગણાવી શકાય. જેમ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં તેમ દિગંબર જૈનસંઘમાં પણ પ્રતિષ્ઠા પ્રસંગે પંચકલ્યાણક ઉત્સવ ઊજવવામાં આવે છે; અને એમાં લોકો ભગવાનનાં માતા-પિતા બને છે. આ પ્રથા બંધ કરવા જેવી લાગવાથી એની સામે શ્રી ભારતવર્ષીય દિગંબર જૈનસંઘ મથુરાના સાપ્તાહિક હિંદી મુખપત્ર જેનસંદેશ”ના તા. ૨૩-૫-૧૯૬૮ના અંકના તંત્રીલેખમાં પંડિત શ્રી કૈલાશચંદ્રજી શાસ્ત્રીએ નીચેના જે વિચારો દર્શાવ્યા છે તે આપણે પણ ધ્યાનમાં લેવા જેવા છે : જિનબિંબની પંચકલ્યાણક-પ્રતિષ્ઠા પ્રસંગે ભગવાનનાં માતા-પિતા બનવાની જે પદ્ધતિ વર્તમાન સમયમાં પ્રચલિત છે, અને એને જે આકાર આપવામાં આવ્યો છે, એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનો સૂચક બનવાને બદલે અશ્રદ્ધાનો સૂચક છે. આપણામાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જે બીજાને પોતાનાં માતા-પિતા બનાવવાનું પસંદ કરે. પણ ભગવાન તો મોક્ષે ગયા છે, તેથી તેઓ તો આમાં રુકાવટ નથી કરી શકતા; એમની નારાજીનો તો કોઈ પ્રશ્ન જ નથી. અમને તો એ વ્યક્તિઓ માટે આશ્ચર્ય અને ખેદ થાય છે કે જેમનામાં હજી તો ભગવાનના સેવક બનવાની ય યોગ્યતા નથી અને બને છે ભગવાનનાં માતા-પિતા ! પિતાનો તો ખાસ ઠાઠ નથી હોતો, પણ અત્યારના લોભી-પ્રતિષ્ઠાચાર્યોને કારણે માતાનો ઠાઠ તો કંઈ ઔર હોય છે. ભગવાનનાં માતાપિતાનો અભિનય કરનારનું નાટકના અભિનેતા કરતાં વધારે મૂલ્ય નથી હોતું........ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy