SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન માનવજીવનના મહિમાને આવરી દેતા અશ્રદ્ધા, અંધશ્રદ્ધા અને અતિશ્રદ્ધાના ત્રિદોષથી ઊગરી શકે અને આંતરિક વિકાસ સાધી શકે. વિવેકનો અર્થ જ છે સમજણ અને આચરણ વચ્ચેનો સુમેળ. સમજણ સાચી હોય તો જ કોઈ પણ પ્રવૃત્તિ કે આચરણનું ધાર્યું પરિણામ આવી શકે; એ રીતે જ ભક્તિની સાથે વિવેકનો સુમેળ બેસે તો જ ભક્તિ ફળે અને માનવીને વિકાસ તરફ દોરી જઈ શકે. આત્મસાધનાના માર્ગોમાં જેમ ધ્યાનયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગને સ્થાન આપવામાં આવ્યું છે, તેમ ભક્તિયોગને પણ સ્થાન આપવામાં આવ્યું છે. અને સામાન્ય રીતે તેને બીજા યોગો કરતાં પ્રમાણમાં સરળ લેખવામાં આવે છે. તેથી જનસમૂહના મોટા ભાગનું વલણ ભક્તિ-અભિમુખ વધારે જોવા મળે છે. પણ જો ભક્તિયોગની ચરિતાર્થતા સમર્પણની ભાવનામાં અને એની વિશુદ્ધિ સારાસારનો વિવેક કરીને આગળ વધવામાં રહેલી છે એ પાયાની વાત ખ્યાલમાં લેવામાં આવે, તો ભક્તિયોગને વધારે પડતો સહેલો માની લેતાં આપણે જરૂર વિચાર કરીએ – આ પાયાની વાત તરફ ભાગ્યે જ ધ્યાન આપવામાં આવે છે, ને તેથી ભક્તિમાર્ગને સહેલો જ માનીને તેમાં ઘેલછા, અંધતા, રાગદષ્ટિ જેવાં અનિચ્છનીય તત્ત્વો પોષવામાં આવે છે. પરિણામે ઘણીઘણી ભક્તિ કરવા છતાં ચિત્તશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ દ્વારા આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવાના મૂળ લાભથી આપણે વંચિત રહી જઈએ છીએ; એટલું જ નહીં, વીતરાગ જિનેન્દ્રની ભક્તિ વીતરાગપણાની પ્રાપ્તિના જ ધ્યેયથી કરવાને બદલે એમની ભક્તિ સરાગદૃષ્ટિથી કરવા લાગીએ છીએ; ક્યારેક તો વીતરાગને ઓઠે સરાગ દેવદેવીઓની ભક્તિમાં આપણે એવાં ઘેલાં બની જઈએ છીએ કે ત્યાં કર્મક્ષયને સ્થાને ઊલટું કમપાર્જનની આત્મઘાતક પ્રવૃત્તિને આવકાર અપાઈ જાય છે. આનું નામ જ વાનરભક્તિ ! વિવેકશીલતા અને સમર્પણની ભાવનાથી જ એમાંથી ઊગરી શકાય. આપણે ત્યાં તીર્થંકરની પ્રતિષ્ઠા વખતે પાંચે કલ્યાણકો સારી રીતે ઊજવવામાં આવે છે, તે એટલે સુધી કે એમાં જન્મકલ્યાણક-પ્રસંગે અમુક સદ્દગૃહસ્થને ભગવાનના પિતા અને અમુક સન્નારીને ભગવાનની માતા બનાવવામાં આવે છે; ભગવાનનાં માતાપિતા કોણ બને એ માટે ઉછામણી બોલાવવામાં આવે છે. વળી એ પ્રસંગે ચ્યવન, સ્વપ્નદર્શન, પ્રસૂતિગૃહ, દિકુમારિકાઓ તથા દેવ-દેવેન્દ્રોનું આગમન, મેરુઅભિષેક જેવાં અનેક દયો રચવામાં આવે છે. આ રીતે આ પ્રસંગ ભક્તિને નામે નાટ્યાત્મક જેવો બની જાય છે. જો આપણે ઇચ્છીએ તો આવાં દશ્યોથી આ પ્રસંગને મુક્ત રાખીને, માત્ર એ પ્રસંગની એક પવિત્ર સ્મૃતિરૂપે ઉજવણી કરીને એ પ્રસંગનું ગૌરવ વધારે સારી રીતે સાચવી શકીએ, અને સામાન્ય જનસમૂહને માત્ર નયન-મનોહર દશ્યોને જોઈને રાચવાની ઠાલી ટેવ પાડવાને બદલે ભગવાનની અને એમના ધર્મમાર્ગની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy