SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૧૮ ૪૭ એવી સ્થિતિ ઊભી થઈ ! પણ જે ક્ષણે જેમને પોતાની ભૂલ સમજાઈ અને એ ભૂલ માટે પશ્ચાત્તાપ કરીને જેમણે મનના મેલ દૂર કરવાનો આંતરિક પુરુષાર્થ કર્યો, તેઓ માનવભવ પામ્યાનું ઉત્તમ ફળ પણ પામી ગયા. જીવનને સદ્ગતિ કે દુર્ગતિમાં ખેંચી જવાની મનની આવી તાકાતને લીધે જ આત્મસાધક સંતોએ અને ધર્મશાસ્ત્રોએ મનને કાબૂમાં રાખીને એને સ્વસ્થ અને શુદ્ધ કરવાનું ખૂબ ભારપૂર્વક કહ્યું છે. મનની કેળવણીની ઉપેક્ષા કરીને કરવામાં આવતી ધર્મક્રિયાઓ છાર ઉપર લીંપણ જેમ નિરર્થક જ છે. એ તો અનુભવની વાત છે કે મનમાં સારા વિચારો ઊઠે તો વાણી અને વર્તન પણ સારાં બની જાય અને જો મનમાં નઠારા વિચારો જાગે તો વાણી અને વર્તન ઉપર પણ નઠારાપણાની કાળી છાયા પ્રસર્યા વગર ન રહે. સાથેસાથે એ પણ સાચું છે કે જીવનનું સારું કે નરસું ઘડતર કરવાની મનની શક્તિને પારખવાની તેમ જ મનને ચોખ્ખું બનાવવાની જરૂરને સમજવાની બાબત જેટલી સહેલી છે, એટલી જ મુશ્કેલ વાત છે મનની સાધના કરવાની; મનને સ્વસ્થ, શાંત અને નિર્મળ કરવાની પણ કોઈ વાત મુકેલ હોય કે સહેલી, જે કામ માટે જે ક્રિયા કર્યા વગર ચાલી શકે એમ ન હોય એ કરવી જ ઘટે; અને એ સારી રીતે કરવામાં આવે તો જ એ કામ સફળ બને. જ્ઞાન, ધ્યાન, તપ, મૌન, કષ્ટસહન વગેરે આત્મસાધનાના વિવિધ પ્રકારનો ઉદ્દેશ પણ મનની કેળવણી કરવાનો જ સ્વીકારવામાં આવ્યો છે. અને છતાં આ કાર્યક્રમોમાંથી આ વાત ઠીક-ઠીક અળગી પડી ગઈ છે. જૈન સાધનાનો પાયો માગનુસારીના પાંત્રીસ ગુણો છે; એમાં સૌથી પહેલા ગુણરૂપ ન્યાયોપાર્જિત ધનથી શરૂ કરીને ધર્મધ્યાન અને શુક્લધ્યાન સુધીની અંતિમ સાધનાનો હેતુ પણ મનને સ્વસ્થ અને નિર્મળ કરવાનો જ છે. છતાં, કોણ જાણે કેમ, આપણી ધર્મસાધનામાંથી મનને સ્ફટિક સમું સ્વચ્છ કરવાની વાત સારા પ્રમાણમાં વિસરાઈ ગઈ છે. અને આ ઉપેક્ષાનો જે અંજામ આવ્યો, તે આપણી સમક્ષ જ છે. આટઆટલી બાહ્ય ધર્મક્રિયાઓ અને આટલા બધા ધાર્મિક ઉત્સવો-મહોત્સવો છતાં ધર્મ દ્વારા જીવનનું અનુસંધાન થવું બાકી જ છે; જાણે ધર્મ અને જીવન એક માર્ગે વહેવાને બદલે જુદા-જુદા બે માર્ગે વહ્યા કરે છે. ધર્મ પોતાની સારી-સારી વાતો કહેતો રહે અને જીવન ધર્મના પાયારૂપ પ્રામાણિકતાને વિના સંકોચે દેશવટો દઈને બીજા પણ અનેક અવગુણોમાં રાચ્યા કરે; અને છતાં માનવી માને કે અમે ધર્મ કરીએ છીએ ! વિશેષ અફસોસ, બલ્લે ચિંતા કરાવે એવી વાત તો એ છે કે સમાજની કે સંઘની શુદ્ધિના રખેવાળ ગણાતા ધર્મગુરુઓ પોતે જ ધર્મક્રિયાઓમાં, પ્રામાણિકતાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy