SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન છેહ આપીને મેળવેલ ધનને વાપરવાની વાતને વધુ ને વધુ પ્રોત્સાહન આપતા રહે છે! ગુરુવર્ગ આ રીતે ધર્મની આધારશિલાની ઉપેક્ષા કરવા લાગ્યા છે, તેનું કારણ એ છે કે તેઓ ચિત્તશુદ્ધિનો અને એ માટેના પુરુષાર્થનો મહિમા જાણતા હોવા છતાં એમની સાધનામાંથી એ વાત સરી ગઈ છે. આજે ધ્યાનયોગના સાધક કેટલા ગુરુઓ હશે ? આપણે બાહુબલીનું દૃષ્યત જાણીએ છીએ. ભારે કષ્ટપ્રદ તપસ્યા બાર-બાર મહિના સુધી કરવા છતાં મનમાં અહંકારરૂપે સંઘરાયેલા થોડાક મેલના લીધે એમની સાધનાનું ફળ અટકી ગયું. પરંતુ એ મેલ દૂર કર્યો કે તરત જ એમને ઈષ્ટફળની પ્રાપ્તિ થઈ. મનની કેળવણીની ઉપેક્ષા એ ખરી રીતે ખુદ ધર્મ-માર્ગની જ ઉપેક્ષા છે. | (તા. ૨૦-૧૧-૧૯૭૧) (૧૯) સ્વભાવ કેમ ન બદલાય ? ઘણા અનુભવીઓએ સ્વભાવને ન જીતી શકાય એવો (કુતિક્રમ) કહ્યો છે. એ સ્થિતિમાં સારો સ્વભાવ જન્મથી જ વારસામાં મળ્યો હોય તો તો સારું, પણ જો ભૂંડો સ્વભાવ જ મળ્યો હોય તો શું કરવું એ પણ ભારે વિચારણીય સવાલ છે. કોઈ વળી આમ પણ કહે – લીંબડાને કડવો સ્વભાવ મળ્યો અને આંબાને મીઠો સ્વભાવ મળ્યો; એ જેમ ફેરવ્યો ન ફેરવાય, તેમ માણસે પણ પોતાના સારા સ્વભાવનો ન ગર્વ કરવો, અને હીણા સ્વભાવનો ન શોક કરવો; જેવો સ્વભાવ મળ્યો હોય તેવાથી સંતોષ માનવા પ્રયત્ન કરવો. પણ આવી વાત પણ મનમાં કોઈ રીતે ઊતરતી નથી. તો પછી કરવું શું? અમે શિવપુરીમાં ભણતા હતા તે વખતની એક વાત આના અનુસંધાનમાં કહેવા જેવી અને થોડોક રસ્તો સુઝાડે તેવી છે. જન્મજાત વેરના જે દાખલાઓ આપણે જાણીએ છીએ, તેમાં કુતરા અને બિલાડીનો પણ સ્વભાવ જ એવો કે એકબીજા સાથે ન રહી શકે. આ ખાસિયત બદલાય તો નવાઈ જ લાગે. પણ આવી નવાઈનો અમે શિવપુરીમાં જાતઅનુભવ વર્ષો સુધી કર્યો છે. જો ક્ષણભર ધરતીના માનવી મટી જઈને કલ્પનાવિહારી કવિ બની જઈએ તો આ વિલક્ષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy