SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન ક્ષિતિપ્રતિષ્ઠાન નગરમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. એ રાજાને અનેક રાણીઓ હતી. એમાં પટરાણીનું નામ કુંતલા. રાજા ધર્મભાવનાથી પ્રેરાઈને એક સુંદર જિનમંદિર બંધાવીને એમાં ભગવાનની પ્રતિમા પધરાવી રોજ ભક્તિથી એની પૂજા કરવા લાગ્યો. રાજાની દેખાદેખીએ રાણીઓ પણ શ્રાવકધર્મનો સ્વીકાર કરીને પ્રભુની પૂજા કરવા લાગી; એટલું જ નહીં, એમણે પણ મુખ્ય મંદિરની આસપાસ પોતાની શક્તિ મુજબ નાનાં-નાનાં મંદિરો બંધાવ્યાં. પટરાણી કુંતલાએ પણ ત્યાં એક મોટું મંદિર બનાવરાવ્યું. એ રોજ ત્યાં પૂજા કરવા જતી. જે માળીઓ પૂજાને માટે ફૂલ લાવતા એમને કુંતલા કહેતી : બધાં ય ફૂલ મને આપી દેજો; બીજા કોઈને આપશો નહીં. એ જ રીતે જે ભજન-કીર્તન કે નૃત્ય કરનારાં આવતાં એમને પણ બીજાં મંદિરોમાં જતાં રોકીને પોતાને ત્યાં લઈ જતી; એને થતું કે મારા મંદિરમાં પૂજા-ભક્તિ અને ગાયન-નૃત્યનો કેવો રંગ જામે છે ! ક્યારેક એના સાંભળવામાં કે જોવામાં આવતું કે કોઈ બીજી રાણીના મંદિરમાં મહોત્સવ થઈ રહ્યો છે, ત્યારે અદેખાઈથી એ બળ્યા કરતી, અને જ્યારે એને જાણવા મળતું કે અમુક રાણીના મંદિરમાં કશું ય સારું નથી, ત્યારે એ રાજી રાજી ! મનમાં અહંકાર અને અદેખાઈનો આવો ભાર લઈને સમય આવતાં પટરાણી કુંતલા ગુજરી ગઈ ! રાજાને અને લોકોને હતું કે આવી ધર્મિષ્ઠ રાણી મરીને જરૂર ઉત્તમ ગતિને પામી હશે. એક વાર નગરમાં કેવળજ્ઞાની સાધુ પધાર્યા. રાજા પોતાની રાણીઓ સાથે એમને વંદન કરવા ગયો. વંદન કરીને એણે જ્ઞાની ગુરુને પૂછ્યું: “મારી પટરાણી કુંતલા મરીને કયા સ્વર્ગમાં જન્મી છે ?” જ્ઞાનીએ જવાબ આપ્યો : “અહંકાર અને અદેખાઈને કારણે એ પૂજા-ભક્તિનું ફળ હારી ગઈ, અને મરીને કાળી કૂતરીનો અવતાર પામી છે ! કુંતલા રાણીએ બનાવેલ મંદિરની પાસે જે કાળી કૂતરી પડી રહેલી દેખાય છે તે એ જ છે !” રાજા અને રાણીઓ સારું-નરસું કરવાનું મનનું બળ અને ધર્મનું રહસ્ય વધારે સારી રીતે સમજ્યાં. ભગવાન મહાવીરના પરમ ભક્ત રાજા દશાર્ણભદ્રની કથા જાણીતી છે. તેઓ સારા કામના આનંદનો અનુભવ કરતાં-કરતાં ભગવાનના વંદન માટે મારા જેવા વૈભવથી કોણ ગયું હશે ?” એવા અભિમાનમાં પડી ગયા, અને ધર્મના સારને ગુમાવી બેસવાની તૈયારીમાં હતા. પણ સદ્ભાગ્યે દેવરાજ ઈન્દ્રના પ્રયત્નથી એમને તરત જ પોતાનો દોષ સમજાઈ ગયો : તેઓ અહંભાવથી મુક્ત બનીને સ્વસ્થ બની ગયા. આપણે જોયું કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ, પટરાણી કુંતલા અને રાજા દશાર્ણભદ્રની પ્રવૃત્તિ બાહ્ય દૃષ્ટિએ ઉત્તમ હતી. પરંતુ એ પ્રવૃત્તિની પાછળ જે મનોવૃત્તિ કામ કરતી હતી તે મલિન હતી, અને તેથી એ પ્રવૃત્તિનું ફળ પણ સારાને બદલે ખોટું જ આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy