SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૧૫, ૧૬ જે આત્મા એ સારને ગ્રહણ કરીને સત્ય, સરળતા અને ક્ષમાયાચના માટે ઉદ્યત થશે તે પોતાના જીવનને અજવાળીને પરમાત્માનો પ્યારો બનશે. (તા. ૩૧-૮-૧૯૬૭) (૧૬) અહિંસા' જીવનસંવર્ધક કે માત્ર નિષેધક ? સાધુધર્મ સ્વીકારનારે ગૃહસ્થ ધર્મ સ્વીકારનાર કરતાં સોળગણી અહિંસાનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગૃહસ્થની અહિંસાના પાલનનું માપ સવા વિસ્તા' કહેવામાં આવ્યું છે, જ્યારે સાધુની અહિંસાના આચરણની અવધિ “વીસ વિસ્વા' જણાવવામાં આવી છે. આ ઉપરથી સાધુની અને ગૃહસ્થની અહિંસા વચ્ચે કેટલો બધો તફાવત ધર્મશાસ્ત્રોમાં સ્વીકારવામાં આવ્યો છે તે સમજી શકાય છે. વળી ધર્મશાસ્ત્રોએ ગૃહસ્થ ધર્મની અહિંસાની મર્યાદાનું નિરૂપણ કરતાં ‘નિરર્શ્વસનૂનાં હિમાં સંત્પતીને (નિરપરાધી ત્રસ જીવોને ઇરાદાપૂર્વક ન મારવા) એવું જે વિધાન કરવામાં આવ્યું છે, તેનો ભાવ પણ સાધુધર્મની અહિંસા કરતાં ગૃહસ્થ આચરવાની અહિંસા ઘણી જ ઓછી હોય છે, એ જ સમજાવવાનો છે. સાધુ અને ગૃહસ્થની અહિંસા વચ્ચેનો આ તફાવત, આત્મસાધકોએ પોતાના અનુભવના આધારે અને શાસ્ત્રકારોએ વિશ્વના અને માનવસમાજના સ્વભાવના અવલોકનને આધારે દર્શાવેલો છે. એટલે એ જેમ વાસ્તવિક છે, તેમ વ્યવહારુ પણ છે. એનો હેતુ ગૃહસ્થવર્ગ પોતાના ઘરસંસાર, લોકવ્યવહાર અને વેપાર-ઉદ્યોગને સંભાળવા સાથે, ધર્મનું યથાશક્તિ પાલન કરી શકે, અને એમ કરતાં-કરતાં ધર્મપાલનનો વધુ ને વધુ આસ્વાદ કેળવી-મેળવીને, વધુ ને વધુ ધર્માભિમુખ બને એ છે. આ વાત ભગવાન મહાવીરસ્વામીના મુખ્ય દસ શ્રાવકોના જીવનની કેટલીક વિગતો ઉપરથી વધુ સારી રીતે સમજી શકાય છે. એ શ્રાવકશ્રેષ્ઠ પુણ્યપુરુષો મોટાં મોટાં ગોકુળો પણ રાખતા હતા, ખેતી પણ કરાવતા હતા અને ગૃહસ્થોચિત અન્ય કાર્યો પણ કરતા હતા. છતાં એમની ગણના આદર્શ શ્રાવકોની પ્રથમ પંક્તિમાં થતી હતી તે સુવિદિત છે. ખેતી વગેરે કાર્યોનો ગૃહસ્થધર્મમાં સમાવેશ થતો હોવાનો આવો શાસ્ત્રીય આધાર હોવા છતાં, અહિંસાધર્મના પાલનના નામે, આપણા સંઘમાં ખેતી જેવાં વ્યક્તિ અને સમાજને માટે અનિવાર્ય કાર્યો પ્રત્યે પણ, ઉત્તરોત્તર અભાવ કે અધર્મભાવ એવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy