SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ જિનમાર્ગનું અનુશીલન (૧૪) જેનોની પરિગ્રહશીલતા: વિનોબાજીની ટકોર ગત મહાવીર-જન્મ-કલ્યાણકના પર્વ-દિને આપણા રાષ્ટ્રસંત શ્રી વિનોબા ભાવેએ, એમના પવનાર આશ્રમમાં જે પ્રવચન દ્વારા ભગવાન મહાવીરને પોતાની ભક્તિભરી અંજલિ આપી હતી, તે મથુરાથી પ્રગટ થતા દિગંબર જૈનસંઘના હિન્દી સાપ્તાહિક જેનસંદેશ'ના તા. ૧૨-૪-૧૯૭૯ના અંકમાં છપાયું છે. આ પ્રવચનમાં ભગવાન મહાવીરે ઉપદેશેલા અને જૈનધર્મના પ્રાણ રૂ૫ અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહના સિદ્ધાંતોનું મહત્ત્વ તેઓશ્રીએ સમજાવ્યું હતું. આધ્યાત્મિક સાધનામાં આ ત્રણેય સિદ્ધાંતોનું જ્ઞાન મેળવીને એનું અણીશુદ્ધ પાલન કરવાની કેટલી જરૂર છે તે સુવિદિત છે. પોતાના વક્તવ્યમાં અહિંસા અને અનેકાંતવાદનો મહિમા સમજાવ્યા પછી શ્રી વિનોબાજીએ જૈનો અપરિગ્રહવ્રતનો સ્વીકાર કરવામાં કેટલા પાછળ અને ઉદાસીન છે, તે અંગે જે ટકોર કરી છે, તે ધ્યાનમાં લેવા જેવી હોવાથી એમના પ્રવચનમાંના એટલા ભાગનો અનુવાદ અહીં સાભાર રજૂ કરીએ છીએ: “ત્રીજો સિદ્ધાંત છે અપરિગ્રહનો. એને જેનો અપનાવી શક્યા નહીં. બીજાઓ જેનો જેટલા પરિગ્રહી નથી હોતા. જૈનો અદાલતોમાં દાવા માંડે છે. (ધર્મના નામે કોર્ટમાં તીર્થોના ઝઘડા ચાલે છે.) અસંગ્રહના સિદ્ધાંતનો તેઓ અમલ કરતા હોય એવું નથી દેખાતું. જેનો કરતાં વધારે પરિગ્રહધારી કોણ છે તે હું નથી જાણતો. આ બાબતમાં જૈન મુનિઓ અણુવ્રતનો પ્રચાર કરે છે, જેમાં ગૃહસ્થો માટે પરિગ્રહની મર્યાદા બતાવવામાં આવી છે. જો જૈન સમાજ આ મર્યાદાઓનું પાલન કરે, તો એમની ઘણી ઉન્નતિ થાય, સમાજની ઉન્નતિ થાય અને સમાજની સેવા થાય. પણ, એમ લાગે છે કે એમનાથી એનો એટલો પણ અમલ નહીં થાય. મહાવીરનું સ્મરણ કરીને હું આશા રાખું છું, કે જૈનો આ ખામીથી મુક્ત થવાનો પ્રયત્ન કરશે.” શ્રી વિનોબાજીની આ ટકોર, જૈનસંઘમાં ઉત્તરોત્તર વધતી જતી અને ત્યાગવૈરાગ્ય-સંયમપ્રધાન ધર્મને શિથિલ બનાવતી પરિગ્રહપરાયણતા તરફ આંગળી ચીંધીને જાણે જનસંઘને એના ભુલાયેલા ત્યાગમાર્ગનું સ્મરણ કરાવે છે. વળી અત્યારના વિષમ સમયમાં શ્રી વિનોબાજીનું આ કથન વિશેષ ધ્યાન આપવા જેવું, અપનાવવા જેવું તથા ઉપયુક્ત એટલા માટે છે કે ધીમે-ધીમે આપણા સંઘના નાયક લેખાતા આપણા મોટા ભાગના ત્યાગીવર્ગમાં પણ સંગ્રહશીલતા તરફનું આકર્ષણ વધી રહ્યું છે. આ પ્રસંગે એક બીજી વાત પણ અમને કહેવા જેવી લાગે છે. ભગવાન મહાવીરે પોતાની સાધનામાં તથા સૌ કોઈ માટે નિરૂપેલી આત્મસાધના માટેની પદ્ધતિમાં જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy