SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૨ જિનમાર્ગનું અનુશીલન રોચક શૈલીમાં વિસ્તારથી અવલોકન કરવામાં આવ્યું છે. આચાર્ય હરિભદ્રસૂરિનાં જીવન, વ્યક્તિત્વ, એમના ગ્રંથો, એ ગ્રંથોની ખાસ વિશેષતાઓને અનુલક્ષીને આ પ્રસ્તાવનામાં જે લખવામાં આવ્યું છે, તેમાં કદાચ અત્યાર લગી સાવ અજ્ઞાત એવી બાબત વધારે નહીં હોય, છતાં એમાં જૂની-નવી બધી વિગતોનું સમરસરૂપે જે સંકલન કરવામાં આવ્યું છે, તે વાંચતાં હરિભદ્રસૂરિનાં જીવન અને કવનનું આહલાદક, ભવ્ય ચિત્ર અંતરપટ ઉપર ખડું થાય છે. ઉપરાંત યોગ અને અધ્યાત્મ સંબંધી વિવેચન પણ ઠીકઠીક વિચારસામગ્રી પૂરી પાડે છે. શ્રી હરિભદ્રસૂરિના યોગવિષયક ગ્રંથોની વિશેષતા માટે પ્રસ્તાવનામાં ટૂંકમાં પણ મર્મગ્રાહી રીતે કહેવામાં આવ્યું છે : “આ હરિભદ્રનાં બધાં જ સર્જનોમાં મૂર્ધન્ય સ્થાન લેવાની યોગ્યતા તેમના યોગવિષયક ગ્રંથોમાં છે. તે ગ્રંથો જેમ જૈન પરંપરાને સ્પર્શે છે, તેમ સમગ્ર ભારતીય યોગ પરંપરાને પણ આવરે છે.” (પૃ. ૩૨). આ હરિભદ્રની સમન્વય-દષ્ટિ અંગે પ્રસ્તાવના કહે છે : “બૌદ્ધ વિદ્વાન્ ધર્મકીર્તિ અને શાંતરક્ષિતે પણ વિરોધી વાદોની સમીક્ષા તો કરી છે, પરંતુ તેમણે એકે ય સમીક્ષામાં બૌદ્ધ કે બૌદ્ધતર વાદોનો આ હરિભદ્રની પેઠે સમન્વય કર્યો નથી. શાંતરક્ષિત તત્ત્વસંગ્રહમાં સાંખ્યમત પ્રકૃતિવાદની અને કૂટસ્થનિત્યત્વવાદની પરીક્ષા કરે છે, પરંતુ તે માત્ર સાંખ્યમતના ખંડન પૂરતી છે, જ્યારે આ હરિભદ્ર સાંખ્યમતની સમીક્ષાને અંતે પ્રકૃતિવાદનું જે રહસ્ય દર્શાવે છે તે જૈનસંમત કર્મપ્રકૃતિવાદની યાદ આપવા સાથે દૂર ભૂતકાળમાં એ બંને વાદો પાછળ કોઈ સમાન ભૂમિકા હોવાનું સૂચન કરે છે.” (પૃ. ૨૧). આગળ ચાલતાં પ્રસ્તાવના કહે છે : “એ જ રીતે ધર્મકીર્તિ અને શાંતરક્ષિતે જેનસંમત સ્યાદ્વાદ કે અનેકાંતદષ્ટિની સમીક્ષામાં પોતાનાથી ભિન્ન એવા દૃષ્ટિબિંદુનો મર્મ શોધી સમન્વય કરવા કોઈ પ્રયત્ન કર્યો નથી, જ્યારે આ હરિભદ્ર વિજ્ઞાનવાદી અને શૂન્યવાદી બૌદ્ધ મંતવ્યની સમીક્ષા કરવા છતાં એક અતિગંભીર અને સૂક્ષ્મદર્શી દાર્શનિકને શોભે એવી ભાષામાં વિજ્ઞાનવાદ અને શૂન્યવાદનું રહસ્ય બતાવવા સાથે તેના પુરસ્કર્તા તરીકે સંમાનિત એવા તથાગત પ્રત્યે હાર્દિક બહુમાન દર્શાવ્યું છે.” (પૃ. ૨૩) આ જ રીતે પૃ. ૨૫-૨૬ માં આ૦ હરિભદ્રના “ષદર્શનસમુચ્ચય' નામક લઘુ છતાં અપૂર્વ ગ્રંથની વિશેષતા સમજાવી છેવટે કહેવામાં આવ્યું છે : “એમણે “પદર્શનસમુચ્ચય'માં કોઈ પણ એક મતનું સ્થાપન અને બીજાનું ઉત્થાપન કરવાની દૃષ્ટિ ન રાખતાં છ યે દર્શનોને માન્ય એવાં મૂળ-મૂળ તત્ત્વોનું પ્રામાણિક નિરૂપણ કર્યું છે; એટલું જ નહીં, પણ તેમણે આખા દાર્શનિક જગમાં અવગણાયેલ એવા ચાર્વાક મતની પણ એક દર્શન તરીકે ગણના કરી છે. આમ “પદર્શનસમુચ્ચય' એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy