SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૩, અને મહત્તાનો સામાન્ય જનસમૂહ તેમ જ ઇતર વિદ્વાનોને ખ્યાલ આપવામાં આવા પ્રસંગો ખૂબ ઉપયોગી થઈ શકે. પ્રચાર એ આજની જરૂરિયાત અને શક્તિ બંને છે. (તા. ૨૬-૧૧-૧૯૬ ૬ ) (૪) ‘યોગશતક' [ગ્રંથ-પરિચય] ‘યોગશતક’ ગ્રંથ પ્રાકૃત ભાષામાં શ્રી હરિભદ્રસૂરિએ રચેલો છે. એના નામ પ્રમાણે એની ૧૦૧ ગાથાઓ છે. એમાં શરૂઆતમાં આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર સાથેના સંબંધને જ ‘નિશ્ચયયોગ' (સાચો યોગ) કહી એ ત્રણેનાં કારણોને ‘વ્યવહારયોગ’ કહેલ છે. આખા ગ્રંથમાં પણ મુખ્યત્વે જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રાપ્તિનાં કારણો રૂપી પ્રવૃત્તિઓને વ્યવહારયોગ તરીકે નિરૂપેલ છે. આર્યા છંદમાં ગૂંથવામાં આવેલી આ અર્થગંભી૨ કાવ્યકૃતિને મોઢે કરીને સ્વસ્થ ચિત્તે એનું ગાન કરાય, તો તે ચિત્તને આહ્લાદ આપવા સાથે આત્મજાગૃતિની પ્રેરણા આપે એવી છે. આચાર્ય હરિભદ્રસૂરિની આ કાવ્યકૃતિની એકમાત્ર તાડપત્રીય પ્રતિ પૂ. મુ. શ્રી પુણ્યવિજ્યજીને ખંભાતના ભંડારમાંથી મળેલી. અત્યાર લગી અપ્રગટ આ ગ્રંથ એ પ્રતિના આધારે સૌથી પહેલી વાર પ્રગટ કરવામાં આવેલ છે એ એની સૌથી પહેલી વિશેષતા છે. અનેકાન્તવાદના રહસ્યને જીવનમાં પચાવીને સર્વ ધર્મો અને સર્વ દર્શનો પ્રત્યે સમન્વયની દૃષ્ટિ અને ગુણગ્રાહક વૃત્તિ અપનાવનાર આચાર્ય હરિભદ્રની નાનામાં નાની કે મોટામાં મોટી કૃતિનું પણ ભારે મૂલ્ય છે. આ ગ્રંથના વિદુષી સંપાદિકાએ મૂળ ગાથાઓનું આગળ-પાછળના સંબંધો અને અર્થસંગતિના પ્રકાશમાં સંશોધન કર્યું છે, અને ગ્રંથને મૂળ રૂપે કે માત્ર એના અનુવાદ સાથે પ્રગટ નહીં કરતાં તલસ્પર્શી વિસ્તૃત સમજૂતી અને અનેક માહિતીપૂર્ણ આવશ્યક ટિપ્પણોથી એને અલંકૃત કરેલ છે એ આ ગ્રંથની નોંધપાત્ર વિશેષતા છે. ગ્રંથના વિવિધ વિષયોનો ખ્યાલ આપતાં મથાળાં અને વિષયાનુક્રમ, છ જેટલાં પરિશિષ્ટો અને બે શબ્દસૂચિઓ આ ગ્રંથની મહત્તા અને ઉપયોગિતાને વધારવાની સાથે જિજ્ઞાસુ અભ્યાસીને ગ્રંથના વિષયો સમજવામાં ખૂબ સરળતા કરી આપે છે. અને આ બધાં ઉપ૨ સોનાનો કળશ ચડાવે એવી આ ગ્રંથની વિશેષતા તે એની ૬૬ પાનાંની પ્રસ્તાવના છે. તેમાં મૂળ ગ્રંથ, ગ્રંથકાર અને ગ્રંથવિષયનું સરળ ભાષામાં Jain Education International ૫૦૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy