SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ જિનમાર્ગનું અનુશીલન કરવામાં આવે તો જ એ દૂર થઈ શકે. આ વિષયમાં તેઓશ્રીનું પોતાનું ઊંડું અધ્યયન તો હતું જ; તેમાં, તેઓની પ્રેરણાનું પાન કરીને શાસ્ત્રાભ્યાસ કરવામાં અને નવા ગ્રંથોના સર્જનમાં એકાગ્રતાથી કામે લાગી જવાની ઉત્કટ ભાવનાવાળા શિષ્યો-પ્રશિષ્યોના જૂથની જ્ઞાનોપાસાનાનું બળ ભળ્યું. પરિણામે, વિ.સં. ૨૦૧૫માં કર્મસિદ્ધાંતના એકએક અંગનું સવિસ્તર વિવરણ કરતા ૧૬-૧૭ ગ્રંથોનું સર્જન કરવાની મોટી યોજના તૈયાર થઈ. અને આ યોજનાને મૂર્ત રૂપ આપવા પિંડવાડાના શ્રીસંઘે ૪૦થી ૫૦ હજાર રૂપિયા આપવાની પહેલ કરી, અને વિ.સં. ૨૦૧૮માં આ માટે “શ્રી ભારતીય પ્રાચ્યતત્ત્વ પ્રકાશન સમિતિ’ નામે નવી સંસ્થા સ્થાપી આ યોજનાના અમલની શરૂઆત કરવામાં આવી. આ સંસ્થાના તેમ જ શ્રીસંઘના સહકારને લીધે અને મુનિવરોની નિષ્ઠાભરી જ્ઞાનોપાસનાને બળે, અત્યારે આ યોજનાના બે દળદાર ગ્રંથોનું પ્રકાશન થઈ શક્યું છે અને અન્ય ગ્રંથોનું સર્જન થઈ રહ્યું છે. આ યોજનાની એક નોંધપાત્ર વિશેષતા એ છે કે કર્મસિદ્ધાંતને લગતા કોઈ પણ ગ્રંથનું સર્જન કરતાં પહેલાં, એને લગતા પ્રાચીન-અર્વાચીન સમગ્ર સાહિત્યનું અવલોકન કરી લેવાય છે, તેમ જ મુખ્યત્વે કર્મશાસ્ત્રને લગતા સમગ્ર દિગંબર સાહિત્યનું પણ અવગાહન કરવામાં આવે છે. જેને સાહિત્યની સામાન્ય સ્થિતિ કંઈક એવી બની ગઈ છે કે શ્વેતાંબરોમાં આગમોને અનુલક્ષીને ખૂબ સાહિત્ય રચાયું, તો દિગંબરોમાં કર્મતત્ત્વને અનુલક્ષીને પુષ્કળ સાહિત્ય રચાયું. એટલે કર્મશાસ્ત્રના સર્વસ્પર્શી અધ્યયનને માટે દિગંબર સાહિત્યનું અધ્યયન-અવલોકન અનિવાર્ય બની જાય છે. આ યોજનાની બીજી વિશેષતા એ છે કે તૈયાર થયેલ ગ્રંથનું મુદ્રણ શરૂ કરતાં પહેલાં સુયોગ્ય વિદ્વાન આચાર્ય મહારાજની પાસે એનું સંશોધન કરાવવામાં આવે છે. આ પ્રથા મુજબ આ ગ્રંથમાળાના પહેલા ગ્રંથ “ખવગ-સેઢીનું સંશોધન સમતાના સરોવર, ગુરુભક્તિમાં આત્મવિલોપન કરવામાં જીવનની ધન્યતા અનુભવનાર વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ આચાર્ય શ્રી વિજયોદયસૂરિએ (તેમ જ અન્ય મુનિવરોએ) કર્યું છે. પૂ. આ. મ. શ્રી વિજયપ્રેમસૂરિજીનું માર્ગદર્શન અને પૂ. આ. મ. શ્રી વિજયોદયસૂરિજીનું સંશોધન – એક જ ગ્રંથમાં જ્ઞાનચારિત્ર-પૂત બે મીઠા મહેરામણનો સંગમ થયાનો આહૂલાદ શ્રીસંઘ અનુભવે છે. આ ગ્રંથોના પ્રકાશન માટે “શ્રી ભારતીય પ્રાપ્યતત્ત્વ-પ્રકાશન-સમિતિ એવા વ્યાપક નામવાળી સંસ્થા સ્થપાઈ એ બીના પણ આ યોજનાની એક વિશેષતા જ છે. એમાં જેનત્વને ભારતીયતાથી જુદું ન પાડતાં એના વિશિષ્ટ અંગરૂપ લેખવાની દૂરંદેશી બતાવાઈ છે. આ ગ્રંથપ્રકાશન નિમિત્તે જાહેર સમારંભ તેમ જ સુંદર પ્રદર્શન યોજાયાં તે પણ ખૂબ સમયોચિત અને જરૂરી કામ થયું છે. જૈન ધર્મ અને સાહિત્યની ઉપયોગિતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy