SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો : સમીક્ષા : 3 લગતા નાના-સરખા જ્ઞાનસત્ર જેવો ઉપયોગી બન્યો હતો, અને પ્રદર્શનનો લાભ જૈનજૈનેતર જનતાએ મોટા પ્રમાણમાં લીધો હતો. પૂ. આ. મ. શ્રી વિજયપ્રેમસૂરિજી જૈન ધર્મશાસ્ત્રોના જ્ઞાતા હોવા સાથે કર્મશાસ્ત્રના વિશિષ્ટ શાતા છે. કર્મશાસ્ત્ર જેવા સૂક્ષ્મ, શુષ્ક અને કઠિન છતાં જૈનધર્મે પ્રરૂપેલ વિશ્વવિજ્ઞાનના પાયારૂપ શાસ્ત્રનું આચાર્ય મહારાજે જીવનભર તલસ્પર્શી અને મર્મગામી અધ્યયન અને ઊંડું અવગાહન કર્યું છે. તેથી તેઓ આ વિષયના અધિકૃત જ્ઞાતા બન્યા છે. કર્મશાસ્ત્રને લગતા પોતાના વિપુલ જ્ઞાનનો લાભ આચાર્યશ્રીએ તે વિષયના મૌલિક ગ્રંથો લખીને તો જૈનસંઘને અને જિજ્ઞાસુ જગને આપ્યો જ છે; પણ તેથી ય મોટો લાભ, તેઓએ પોતાના શિષ્ય-પ્રશિષ્યોની પરંપરામાં જ્ઞાનોપાસનાની તાલાવેલી જગાવીને અને જાતે જ વાત્સલ્ય અને મમતા સાથેના અધ્યાપન દ્વારા એમને કર્મતત્ત્વ તથા અન્ય શાસ્ત્રીય વિષયોના વિદ્વાનો બનાવીને આપણને આપ્યો છે. મુનિરાજોની ઊછરતી નવી પેઢીને આ રીતે જ્ઞાન અને ચારિત્રની આરાધના માટેની પ્રેરણા અને કેળવણી આપતાં રહીને આચાર્યશ્રીએ તેઓને પોતાના વારસાના સાચા અને યોગ્ય અધિકારી બનાવવાનો પુરુષાર્થ કર્યો છે. આ પુરુષાર્થ અત્યારે આપણા અન્ય સાધુ-સમુદાયો માટે દાખલારૂપ બને એવો છે. વળી, અત્યારે ૮૪ વર્ષની પાકટ વયે, તબિયતની પૂરેપૂરી અનુકૂળતા ન હોવા છતાં, તેઓ જે રીતે અપ્રમત્તભાવે સ્વાધ્યાયમાં અને અંતેવાસી મુનિવરોના અધ્યાપનમાં રત રહે છે તે બીના તેઓના પ્રત્યે વિશેષ ભક્તિ અને બહુમાન જન્માવે છે. ૪૯૯ વિશ્વની રચના ઈશ્વરે કર્યાનો ઇન્કાર કરીને અને વિશ્વની વિવિધતા અને વિચિત્રતાની જવાબદારી પણ ઈશ્વરને માથેથી દૂર કરીને જૈન સાધકો અને તત્ત્વદ્રષ્ટાઓએ જગતને કોઈ વ્યક્તિવિશેષની રચનારૂપે નહીં, પણ અનાદિ-અનંતરૂપે ઓળખાવ્યું છે, અને એમાં પ્રવર્તતી જગના જીવોની વિવિધતા અને વિચિત્રતાના કારણરૂપે કર્મતત્ત્વને પ્રરૂપ્યું છે. આને લીધે કર્મતત્ત્વનું અને એના પ્રાબલ્યનું યુક્તિસંગત, પ્રતીતિકર અને સવિસ્તર વિવેચન કરવું એ જૈન તત્ત્વવેત્તાઓ માટે અનિવાર્ય બની ગયું છે. તેથી જ જૈનધર્મના શાસ્ત્રીય ગ્રંથોમાં કર્મતત્ત્વનું વિવેચન કરતા નાના-મોટા, પ્રાચીન-અર્વાચીન સંસ્કૃત, પ્રાકૃત તેમ જ લોકભાષામાં રચાયેલા ગ્રંથો પુષ્કળ છે. આ બધાનું ઝીણવટથી અવલોકન-અધ્યયન કર્યા પછી પણ પૂ. આ. મ. શ્રીને લાગ્યું કે કર્મશાસ્ત્રના અમુક-અમુક મુખ્યમુખ્ય વિશદ નિરૂપણ કરતા ખાસ ગ્રંથોની આપણે ત્યાં કેટલેક અંશે ખામી છે. કર્મશાસ્ત્રને લગતા પ્રાચીન ગ્રંથોનું તલસ્પર્શી અને વ્યાપક અવગાહન-અવલોકન કરીને એ બધાના દોહનરૂપે સ્વતંત્ર નવા ગ્રંથો તૈયા૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy